24 કલાકમાં ગુજરાતમાં સરકારી બસે બીજો અકસ્માત સર્જ્યો, અમદાવાદમાં BRTSની ટક્કરે 2ના મોત

અમદાવાદ (Ahmedabad) ના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ (BRTS) બસની ટક્કર વાગતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માત બાદ લોકોએ રોષે ભરાયેલા બાદમાં બીઆરટીએસની બસને તોડફોડ કરવાની શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગઈકાલે સિટી બસની ટક્કરે ત્રણના મોત નિપજ્યા હતા. આ ઘટનાને હજી ચોવીસ કલાક પણ થયા નથી, ત્યાં અમદાવાદમાં સરકારી બસ બે લોકોના જીવ ભરખી ગઈ છે.

24 કલાકમાં ગુજરાતમાં સરકારી બસે બીજો અકસ્માત સર્જ્યો, અમદાવાદમાં BRTSની ટક્કરે 2ના મોત

અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ (BRTS) બસની ટક્કર વાગતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માત બાદ લોકોએ રોષે ભરાયેલા બાદમાં બીઆરટીએસની બસને તોડફોડ કરવાની શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગઈકાલે સિટી બસની ટક્કરે ત્રણના મોત નિપજ્યા હતા. આ ઘટનાને હજી ચોવીસ કલાક પણ થયા નથી, ત્યાં અમદાવાદમાં સરકારી બસ બે લોકોના જીવ ભરખી ગઈ છે.

બંને સગા ભાઈ ઓફિસ જવા નીકળ્યા હતા
બાઈક નંબર GJ 32 H 8644 પર જયેશ હીરાભાઈ રામ (ઉંમર 24 વર્ષ) અને નયન હીરાભાઈ રામ (ઉંમર વર્ષ 26) નામના બે યુવકો ઓફિસ જઈ રહ્યા હતા. બાઈકચાલક યુવકોનો પરિવાર વેરાવળના વતની હતા, તેઓ હાલ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા છે. ત્યારે બીઆરટીએસની ટક્કરે નોકરી જવા નીકળેલા બે સગા ભાઈઓનું કરુણ મોત નિપજ્યું છે. મૃતક જયેશભાઈના પત્ની દાણીલીમડામાં પીએસઆઈ છે. 

પિતાએ કહ્યું, મારું બધુ જ લૂંટાઈ ગયું છે 
રામ પરિવારને માલૂમ ન હતું કે, તેઓને એક જ દિવસમાં પરિવારના બે કુળદીપક એકસાથે ગુમાવવા પડશે. ઘટના બાદ નયનભાઈના પત્ની અને બંને યુવકોની માતાનું આક્રંદ જોઈને કાળજુ કંપી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખો પરિવાર ગમગીની બની ગયો હતો. બંને યુવકોના પિતા હીરાભાઈ રામ તો કંઈ સમજી શકે તેવી સ્થિતિમા જ ન હતા. માત્ર એટલું જ બોલી શક્યા કે, મારું બધુ જ લૂંટાઈ ગયું છે.  

24 કલાકમાં ગુજરાતમાં સરકારી બસે બીજો અકસ્માત સર્જ્યો, અમદાવાદમાં BRTSની ટક્કરે 2ના મોત

બીઆરટીએસનો ડ્રાઈવર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો
બંને ભાઈઓ પોતાની બાઈક  પરથી પાંજરાપોળ વિસ્તારમાંથી થઈ રહ્યા હતા ત્યારે બીઆરટીએસના ડ્રાઈવરે બ્રેક મારવાની તસ્દી લીધી ન હતી. જેથી બંને ભાઈઓ બસની નીચે કચડાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બીઆરટીએસની સ્પીડ 70થી વધુની હતી, તેમજ સિગ્નલ બંધ હોવા છતાં બસના ડ્રાઈવરે ગાડી હંકારી હતી. તો બીજી તરફ, સ્થાનિક લોકોએ અકસ્માત બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો, લોકોએ બસની તોડફોડ કરીને આક્રોશ ઠાલવ્યો હતો. તો બીજી તરફ, બંને યુવકોના પરિવારે સ્થાનિક સ્થળ પર આવીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો ગુસ્સામાં લોકોએ બીઆરટીએસ બસ પર પથ્થરમારો પણ કર્યો હતો. તો ઘટના બાદ પોલીસે કહ્યું હતું કે, સીસીટીવી ચેક કર્યા બાદ અમે તપાસ કરીશું. 

ગુજરાતમાં ફરતી સરકારી બસો જીવલેણ બની રહી છે. એસટી હોય, BRTS હોય, સરકારી બસોના ડ્રાઈવરો બેફામ બન્યા છે. જેને કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. ત્યારે અમદાવાદમાં ચાર વર્ષના બીઆરટીએસ બસ દ્વારા સર્જાયેલા અકસ્માતના આંકડા સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે અમદાવાદમાં છેલ્લાં ચાર વર્ષથી કેટલા અકસ્માત થયા છે. 

વર્ષ મોત સામાન્ય અકસ્માત
2014 10 59
2015 3 52
2016 5 28
2017 3 24
2018 2 200
2019 2 100
કુલ 21 63

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news