Amitabh Bachchan એ કેમ કરવા પડ્યા જયા જોડે લગ્ન? જાણો 'અંગળ...મંગળ...શંગળ' પાછળનું કારણ

Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...! અમિતાભ અને જયાની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટથી કમ નથી.

Amitabh Bachchan એ કેમ કરવા પડ્યા જયા જોડે લગ્ન? જાણો 'અંગળ...મંગળ...શંગળ' પાછળનું કારણ

નવી દિલ્લીઃ આજે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ છે. અમિતાભનું નામ તે સમયે રેખા સાથે જોડાયું. ન માત્ર નામ જોડાયું પણ બન્નેની પ્રેમકહાની જગજાહેર હતી. અચાનક એ બન્નેની લવલાઈફમાં કઈ રીતે પડી દરાર, અને કઈ રીતે અમિતાભની લાઈફમાં થઈ જયાની એન્ટ્રી એ કહાની પણ રસપ્રદ છે. જોકે, એ થી પણ રસપ્રદ છે અમિતાભ અને જયાના લગ્નની કહાની. એવું તો શું બન્યું કે અમિતાભે જયા સાથે તાત્કાલિક લગ્ન કરી લેવા પડ્યાં. એ કિસ્સો પણ જાણવા જેવો છે. ઉલ્લેખનીય છેકે, બોલીવુડના મહાનાયકે લગ્ન જીવનના 49 વર્ષ પુર્ણ કર્યા છે.

3 જૂન 1973ના રોજ બન્ને ફિલ્મી સ્ટાર્સના લગ્ન થયા હતા. અમિતાભ બચ્ચને પોતાની મેરેજ એનિવર્સરીના દિવસે જુની યાદોને તાજા કરી હતી. પોતાના લગ્ન સમયના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. તે સમયે અમિતાભ અને જયાના વર્ષો જૂના ફોટોઝ જોઈને તેમના ચાહકો પણ ખુશ થઈ ગયા હતા. જ્યા આ જોડીના લગ્ન થયા ત્યારે ખુબ અલગ જ પ્રકારનો માહોલ હતો. લગ્નના મંડપમાં બેઠેલા બન્ને સ્ટાર ખૂબ સુંદર લાગી રહ્યા હતા. જયા બચ્ચન લાલ પાનેતરમાં સજીને બેઠી હતી તો સફેદ શેરવાણીમાં અમિતાભ બચ્ચન પણ કમાલ લાગી રહ્યા હતા.

લગ્નમાં ખુબ જ લીમીટેડ લોકોની હાજરી અને જેને આપણે બોલચાલની ભાષામાં અંગળ મંગળ શંગળ કહીએ છીએ કંઈક એવી જ રીતે અમિતાભ અને જયાના લગ્ન થઈ ગયા હતાં. ઘણાંને એમ થશે કે આ અંગળ...મંગળ...શંગળ...એટલે વળી શું. તો જ્યારે લગ્નમાં કોઈ ધામધૂમ ન કરાય, ખુબ સાદગીથી કોઈ વધારે લોકોને જાણ કર્યા વિના અચાનક અને તુરંત જ લગ્ન ગોઠવી દેવામાં આવે. અને ખુબ જ ઝડપભેર સાવસાદાઈથી લગ્ન કરી લેવામાં આવે તેને બોલચાલની ભાષામાં અંગળ મંગળ શંગળ કહેવામાં આવે છે.

 

અમિતાભ- જયાની લવ સ્ટોરી:
અમિતા બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચનની લવ સ્ટોરી ઈન્સ્ટાગ્રામમાં ફેમસ છે. પોતાની એક ફિલ્મની શૂટીંગ પૂર્ણ કર્યા પછી અમિતાભ પોતાના કેટલાક મિત્રો અને જયા બચ્ચનને લઈને વિદેશ ફરવા જવા ઈચ્છતા હતા. આ વાતની પરવાનગી તેમને પોતાના પિતા હરિવંશ રાય બચ્ચ પાસે માગી ત્યારે તેમને કહ્યું કે, જો તેઓ જયાને વિદેશ ફરવા લઈ જવા ઈચ્છે છે તો જયા સાથે લગ્ન કરવા પડશે. લગ્ન કર્યા બાદ જ અમિતાભ જયાને લઈને વિદેશ ફરવા જઈ શકશે. આજ કારણે અમિતાભે જયા સાથે પહેલાં લગ્ન કરવા પડ્યાં. ત્યાર બાદ બન્નેને સાથે વિદેશ ફરવા જવાની પરિવાર તરફથી પરવાનગી મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news