Akshay Kumarની આગામી ફિલ્મ રક્ષાબંધનનું પોસ્ટર રિલીઝ, ફેન્સ માટે મોટી ખુશખબર

'અતરંગી રે' બાદ ફરી એકવારથી ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયે સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) સાથે મળીને તેમની નવી ફિલ્મ રક્ષાબંધન (Raksha bandhan)ની જાહેરાત કરી છે. આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સ્ક્રીન રાઇટર હિમાંશુ શર્મા દ્વારા લખવામાં આવશે. જેમણે આ પહેલા ઝીરો, તનુ વેડ્સ મનુની ફ્રેન્ચાઈઝી અને રાંઝણા જેવી ફિલ્મો લખી છે. આજે રક્ષાબંધનના ખાસ સમય પર અક્ષય કુમારની આ ફિલ્મની જાહેરાત થઇ છે. સાથે જ ફિલ્મનું પોસ્ટર પણ રિલિઝ થયું છે. ફિલ્મનું ટાઇટલ અને પોસ્ટ દર્શાવી રહી છે કે, આ એક પારિવારિક ડ્રામા ફિલ્મ હશે.
Akshay Kumarની આગામી ફિલ્મ રક્ષાબંધનનું પોસ્ટર રિલીઝ, ફેન્સ માટે મોટી ખુશખબર

મુંબઇ: 'અતરંગી રે' બાદ ફરી એકવારથી ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયે સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) સાથે મળીને તેમની નવી ફિલ્મ રક્ષાબંધન (Raksha bandhan)ની જાહેરાત કરી છે. આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સ્ક્રીન રાઇટર હિમાંશુ શર્મા દ્વારા લખવામાં આવશે. જેમણે આ પહેલા ઝીરો, તનુ વેડ્સ મનુની ફ્રેન્ચાઈઝી અને રાંઝણા જેવી ફિલ્મો લખી છે. આજે રક્ષાબંધનના ખાસ સમય પર અક્ષય કુમારની આ ફિલ્મની જાહેરાત થઇ છે. સાથે જ ફિલ્મનું પોસ્ટર પણ રિલિઝ થયું છે. ફિલ્મનું ટાઇટલ અને પોસ્ટ દર્શાવી રહી છે કે, આ એક પારિવારિક ડ્રામા ફિલ્મ હશે.

આ વર્ષની શરૂઆતમાં ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયે અક્ષય કુમારની સાથે તેમના પ્રથમ પ્રોજેક્ટ અતરંગી રેની જાહેરાત કરી હતી. જેમાં દક્ષિણના સુપરસ્ટાર ધનુષ અને સારા અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે તે જોવાનું ઘણું રોમાંચક હશે કે નિર્માતા આનંદ એલ રાય અને અક્ષય કુમારની આ જોડી, રક્ષાબંધન સિને પ્રેમિયો માટે શું ધમાકા લઇને આવી છે.

આ યોજનાને લઇને ઉત્સાહિત, નિર્માતા આનંદ એલ રાયે તેમના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે, અક્ષય ખુબજ પ્રતિભાશાળી અભિનેતા છે અને હું રક્ષાબંધન માટે ફરી એકવાર તેમની સાથે મળીને કામ કરવા માટે વધારે ઉત્સાહી છું. આ ફિલ્મની સ્ટોરી ઘણી વિશેષ છે જે સંબંધોને સુંદર રીતે દર્શાવે છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Hardly ever in life does one come across a story that touches your heart so deeply and so instantly...it’s the quickest I’ve signed a film in my career. A story that will make you laugh and it will make you cry. And it will make us realise how blessed are those who have sisters. Dedicating this film, #Rakshabandhan to my dear sister, Alka and to the most special bond in the world...that of a brother and sister. It makes me happiest that she is presenting and producing this film along with ace director Anand L Rai. Can’t thank him enough for bringing me one of the most special films of my life. ‪Directed by Aanand L Rai‬ ‪Written by #HimanshuSharma Produced by #ColourYellowProductions @cypplofficial in association with #CapeOfGoodFilms Presented by #AlkaHiranandani & Aanand L Rai, in theatres on 5th November 2021.‬ #SirfBehneDetiHai100PercentReturn

A post shared by Akshay Kumar (@akshaykumar) on

ફરી એકવાર ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયની સાથે જોડાતા અક્ષય કુમારે કહ્યું કે, જીવનમાં કદાચ જ કોઇ આવી સ્ટોરી તમારી સામે આવે છે. જે તમારા હૃદયને ખુબ જ ઉંડાણ અને ખૂબ સરળતાથી સ્પર્શે છે. આ સ્ટોરી તમને હસાવશે અને રોવડાવશે પણ. આ આપણને અનુભવ કરાવશે કે તે માણસ કેટલો ધન્ય છે જેની બહેન હોય છે. મને આ વાતની સૌથી વધારે ખુશી છે કે, મારી બહેન અલ્કા, નિર્દેશક આનંદ એલ રાયની સાથે મળી આ ફિલ્મની પ્રસ્તુતિ અને નિર્માણ કરશે.

ફિલ્મ રક્ષાબંધનને અલ્કા ભાટિયા અને આનંદ એલ રાય દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આ ફિલ્મ આગામી વર્ષ 5 નવેમ્બર 2021ના રોજ દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષથી શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news