Wajid Khanના નિધનથી Akshay Kumarને લાગ્યો શોક, યાદ કરતા કરી આ પોસ્ટ

બોલીવુડના જાણિતા સિંગર અને મ્યુઝિક કંપોઝર વાજિદ ખાન (Wajid Khan)નું નિધન થયું છે. ગત રાત્રી 42 વર્ષીય મ્યૂઝિક ડાયરેક્ટરરે અંતિમ શ્વાસ લીધો હતો. તેના નિધનથી બોલીવુડમાં શોક છવાયો છે. જ્યાં થોડા સમય પહેલા મહાનાયક અમિતાભ બચ્ચને વાજિદને લઈને ટ્વિટ કર્યું છે કે, હવે અક્ષય કુમારે (Akshay Kumar) વાજિદને યાદ કરતા ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે.
Wajid Khanના નિધનથી Akshay Kumarને લાગ્યો શોક, યાદ કરતા કરી આ પોસ્ટ

નવી દિલ્હી: બોલીવુડના જાણિતા સિંગર અને મ્યુઝિક કંપોઝર વાજિદ ખાન (Wajid Khan)નું નિધન થયું છે. ગત રાત્રી 42 વર્ષીય મ્યૂઝિક ડાયરેક્ટરરે અંતિમ શ્વાસ લીધો હતો. તેના નિધનથી બોલીવુડમાં શોક છવાયો છે. જ્યાં થોડા સમય પહેલા મહાનાયક અમિતાભ બચ્ચને વાજિદને લઈને ટ્વિટ કર્યું છે કે, હવે અક્ષય કુમારે (Akshay Kumar) વાજિદને યાદ કરતા ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે.

પોસ્ટમાં અક્ષય કુમારે (Akshay Kumar) સિંગરના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમના ટ્વિટમાં અક્ષય કુમારે તેના પરિવાર માટે પ્રાર્થના પણ કરી છે. અક્ષય કુમારે વાજિદ સાથે રાઉડી રાઠોરમાં કામ કર્યું છે. જેનું સોન્ગ ચિંતા તા ચિતા ચિતા જે ઘણું હિટ થયું હતું.

— Akshay Kumar (@akshaykumar) June 1, 2020

વાજિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કરતા અક્ષય કુમારે ટ્વિટ કર્યું અને લખ્યું, વાજિદ ખાનના આકસ્મિક નિધન વિશે જાણી શોકમાં અને દુખી છું. પ્રતિભાશાળી અને હમેશા હસ્તા હતા. આ મુશ્કેલીના સમયમાં ભગવાન તેમના પરિવારને શક્તિ આપે.

આ ઉપરાંત વરૂણ ધવનને પણ વાજિદ ખાનના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેણે પણ પોસ્ટ કરતા તેમને શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. તમને જણાવી દઇએ કે, વાજિદ ખાનના નિધનનું કારણ તેમને કિડનીની સમસ્યા જણાવવામાં આવી રહી છે. જેની ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી.

— Varun Dhawan (@Varun_dvn) May 31, 2020

તેમના નિધન પર બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા, મીરા ચોપડા, અમિતાભ બચ્ચેન, અરમાન મલિક, વરૂણ ધવન અને ઘણા બોલીવુડ સ્ટાર્સે ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news