Senior Citizen Scheme: સરકારની જાહેરાત બાદ સીનિયર સીટીજનોની બલ્લેબલ્લે, દર મહિને મળશે 20 હજાર રૂપિયા!

Good News For Senior Citizen: વરિષ્ઠ નાગરિકો બમણી કમાણી કરશે, તેમને દર મહિને 20,000 રૂપિયા મળશે. 1 જાન્યુઆરી 2023 પહેલા 7.6 ટકા વ્યાજ મળતું હતું. મહત્તમ રોકાણ મર્યાદા અને 8 ટકા વ્યાજ દર વધારવાના સંદર્ભમાં, વરિષ્ઠ નાગરિકો દ્વારા દર મહિને વ્યાજના રૂપમાં કમાતી આવક બમણી કરવામાં આવશે.

Senior Citizen Scheme: સરકારની જાહેરાત બાદ સીનિયર સીટીજનોની બલ્લેબલ્લે, દર મહિને મળશે 20 હજાર રૂપિયા!

Senior Citizen Scheme: માણસ આખી જિંદગી મહેનત કરતો હોય છેકે, તેનો પરિવાર સુખી થાય, શાંતિથી બધા રહી શકે. આજ ભાગદોડમાં માણસ ધીરે ધીરે પોતાની આખી જિંદગી ખર્ચી નાખે છે. વધતી ઉંમરે દરેક વડીલોને એવું હોય છેકે, હવે એમને શાંતિ મળે. હવે એમને આરામ મળે. જોકે, પૈસાના અભાવને કારણે કરોડો સીનિયર સીટિઝનને હેરાન થવાનો વારો આવે છે. ત્યારે કોઈપણ વડીલોએ હેરાન ન થવું પડે એ વાતનું ધ્યાન હવે મોદી સરકાર રાખશે. તેના માટે તૈયાર કર્યો છે આ ખાસ પ્લાન....

1 જાન્યુઆરી 2023 પહેલા 7.6 ટકા વ્યાજ મળતું હતું. મહત્તમ રોકાણ મર્યાદા અને 8 ટકા વ્યાજ દર વધારવાના સંદર્ભમાં, વરિષ્ઠ નાગરિકો દ્વારા દર મહિને વ્યાજના રૂપમાં કમાતી આવક બમણી કરવામાં આવશે. 2023-24ના સામાન્ય બજેટમાં સરકારે નવી કર વ્યવસ્થા હેઠળ આવકવેરા ભરનારાઓને રાહત આપવાની સાથે વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)માં રોકાણની મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે.

આ સિવાય 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે આ સ્કીમ પર વ્યાજ દર વધારીને 8 ટકા કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2023 પહેલા 7.6 ટકા વ્યાજ મળતું હતું. મહત્તમ રોકાણ મર્યાદા અને 8 ટકા વ્યાજ દર વધારવાના સંદર્ભમાં, વરિષ્ઠ નાગરિકો દ્વારા દર મહિને વ્યાજના રૂપમાં કમાતી આવક બમણી કરવામાં આવશે. પાંચ વર્ષની પાકતી મુદત પછી તેને 12 લાખ રૂપિયાના વ્યાજ સાથે કુલ 42 લાખ રૂપિયા મળશે.

પાકતી મુદત પછી વ્યાજ સાથે 42 લાખ મળશેઃ

યોજના શું છે-
વરિષ્ઠ નાગરિક બચત યોજના દેશના વૃદ્ધ નાગરિકો માટે છે. આમાં સારું વળતર મેળવવાની સાથે, કોઈ જોખમ નથી કારણ કે આ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. 2004 માં શરૂ કરાયેલ, આ યોજનાનો ઉદ્દેશ્ય નિવૃત્ત વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને વ્યાજના રૂપમાં દર મહિને નિયમિત આવક મળે છે.

યોજના હેઠળ, આ રીતે આખું ગણિત સમજોઃ
મહત્તમ થાપણ 30 લાખ
નવો વ્યાજ દર-     8 ટકા
પરિપક્વતાનો સમયગાળો    5 વર્ષ
માસિક વ્યાજ રૂ. 20,000
ત્રિમાસિક વ્યાજ રૂ. 60,000
વાર્ષિક વ્યાજ રૂ. 2.40 લાખ
કુલ વ્યાજ - 12 લાખ
પરિપક્વતા પર પ્રાપ્ત રકમ: 42 લાખ
મહત્તમ રોકાણ (1 જાન્યુઆરી પહેલા) 15 લાખ
જૂનો વ્યાજ દર - 7.6 ટકા
પરિપક્વતા સમયગાળો     5 વર્ષ
માસિક વ્યાજ રૂ. 9,500
ત્રિમાસિક વ્યાજ રૂ. 28,500
વાર્ષિક વ્યાજ રૂ. 1.14 લાખ
કુલ વ્યાજ - 5.70 લાખ
પાકતી મુદ્દતે મળતી રકમ: 22.70 લાખ

આ પણ ખાસ વાંચોઃબાપરે...આગામી ટી-20 વર્લ્ડ કપમાં નહીં દેખાય શર્માજીના છગ્ગા, રોહિત શર્મા નહીં રમે?ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો દગો! 42 વર્ષ પહેલાં 'દાદાના દુશ્મને' કરેલું આ કામ...1 બોલમાં 16 રન! બોલરની બોલતી બંધ, દ્રવિડની જેમ ધીમું રમતો આ ખેલાડી અચાનક કેમ વિફર્યોમુશર્રફને મળી હતી ફાંસીની સજા! દિલ્હીમાં થયો હતો પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિનો જન્મ

1.50 લાખ સુધીની ટેક્સ છૂટ મળી શકે છે-
વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં, સરકાર ત્રિમાસિક ધોરણે વ્યાજ દરમાં સુધારો કરે છે. આમાં પતિ-પત્ની બંને એકબીજા સાથે સિંગલ એકાઉન્ટ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. ખાસ વાત એ છે કે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ તમે આ સ્કીમમાં રોકાણ કરીને 1.50 લાખ રૂપિયા સુધીની ટેક્સ રિબેટ પણ મેળવી શકો છો.
-બલવંત જૈન, ટેક્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર.

રોકાણ મર્યાદામાં વધારો લાભદાયી રહેશેઃ નાણાં સચિવ
નાણા સચિવ ટીવી સોમનાથને જણાવ્યું હતું કે નાની બચત યોજનાઓમાં રોકાણની મર્યાદા વધારવાથી વરિષ્ઠ નાગરિકો અને મધ્યમ વર્ગને ફાયદો થશે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણની મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, માસિક આવક ખાતાની યોજનામાં મહત્તમ જમા મર્યાદા 9 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. સોમનાથને કહ્યું કે, આ યોજનાઓની રોકાણ મર્યાદા લાંબા સમયથી બદલાઈ નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news