હોમ લોન પર 4% વ્યાજ સબસિડી, મોદી સરકાર મધ્યમ વર્ગને આપી રહી છે મોટી ભેટ

PM Awas Yojana-Urban 2.0 Scheme: નરેન્દ્ર મોદી સરકારે તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0 ને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

હોમ લોન પર 4% વ્યાજ સબસિડી, મોદી સરકાર મધ્યમ વર્ગને આપી રહી છે મોટી ભેટ

PM Awas Yojana-Urban 2.0 Scheme: નરેન્દ્ર મોદી સરકારે તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0 ને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 23 જુલાઈના રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે 1 કરોડ ઘરો બાંધવાના છે. થોડા દિવસો બાદ કેન્દ્રીય કેબિનેટે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

2015માં થઈ હતી શરૂઆત
વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરીની શરૂઆત થઈ હતી. આ યોજના હેઠળ 1.18 કરોડ આવાસોને મંજૂરી આપી હતી. સરકારી આંકડા પ્રમાણે તેમાંથી 85.5 લાખથી વધુ આવાસ પૂરા કરી લાભાર્થીઓને સોંપવામાં આવી ચૂક્યા છે. આ સિવાય અન્ય નિર્માણાધીન છે.

વ્યાજ સબસિડી યોજનાનો લાભ
સરકારની આ સ્કીમમાં લાભાર્થીને વ્યાજ સબસિડી યોજનાનો લાભ પણ મળશે. વ્યાજ સબસિડી યોજનાની હેઠળ આર્થિક રૂપથી નબળા વર્ગ  (EWS)/નિમ્ન આવક વર્ગ(LIG)/મધ્યમ આવક વર્ગ (MIG)પરિવારમાંથી આવે છે. આ તે લોકો છે જેની પાસે દેશમાં કોઈ જગ્યાએ પાક્કું મકાન નથી. 

EWS હેઠળ તે પરિવાર છે જેની 3 લાખ સુધીની વાર્ષિક આવક છે. તો LIG હેઠળ 3થી 6 લાખ સુધીની વાર્ષિક આવકવાળા પરિવારોને રાખવામાં આવ્યા છે. આ રીતે MIG હેઠળ 6 લાખથી 9 લાખ સુધીની વાર્ષિક આવકવાળા પરિવારો સામેલ છે. આ બધા પરિવારો માટે હોમ લોન પર સબસિડી આપવામાં આવશે.

કેટલી સબસિટી
સરકાર તરફથી જારી સત્તાવાર નિવેદન પ્રમાણે 25 લાખ સુધીની હોમ લોન લેનાર લાભાર્થી 12 વર્ષના સમય સુધી પહેલાના 8 લાખ રૂપિયાની લોન પર 4 ટકા વ્યાજ સબસિડીને પાત્ર હશે. આ હોમ લોન 35 લાખ સુધીની કિંમતવાળા મકાન માટે છે. પાત્ર લાભાર્થીઓને 5 વાર્ષિક હપ્તામાં પુશ બટનના માધ્યમથી 1.80 લાખની સબસિડી જારી કરવામાં આવશે. લાભાર્થી વેબસાઇટ, ઓટીપી કે સ્માર્ટકાર્ડ દ્વારા પોતાના ખાતાની જાણકારી લઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news