PM ઈમરાન ખાને આખરે કર્યો સ્વીકાર, ભારત સામે યુદ્ધમાં હારી શકે છે પાકિસ્તાન 

પાકિસ્તાન(Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ એકવાર ફરીથી પરમાણુ યુદ્ધની સંભાવનાને હવા આપી છે. જો કે ઈમરાન ખાને એ પણ સ્વીકાર કર્યું કે પાકિસ્તાન ભારત સાથે પરંપરાગત યુદ્ધમાં હારી શકે છે.

PM ઈમરાન ખાને આખરે કર્યો સ્વીકાર, ભારત સામે યુદ્ધમાં હારી શકે છે પાકિસ્તાન 

ઈસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ એકવાર ફરીથી પરમાણુ યુદ્ધની સંભાવનાને હવા આપી છે. જો કે ઈમરાન ખાને એ પણ સ્વીકાર કર્યું કે પાકિસ્તાન ભારત સાથે પરંપરાગત યુદ્ધમાં હારી શકે છે. અલ ઝઝીરા સાથે એક ઈન્ટરવ્યુંમાં ઈમરાન ખાને કહ્યું કે જો પરંપરાગત યુદ્ધમાં કોઈ દેશ હારવા લાગે તો તેની પાસે બે જ વિકલ્પ હોય છે- કાં તો  તે આત્મ સમર્પણ કરે અથવા તો આઝાદી માટે મોત સામે લડે. મને ખબર છે કે પાકિસ્તાન આઝાદી માટે મોત સામે લડશે, પરંતુ જ્યારે એક પરમાણુ સશસ્ત્ર દેશ મોત સામે ઝઝૂમતો હોય ત્યારે તેના પોતાના પરિણામ હોય છે. 

યુદ્ધ એ સમસ્યાઓનું સમાધાન નથી
કાશ્મીર પર ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપવા પરના એક સવાલ પર ઈમરાન ખાને કહ્યું કે મે જે પણ કહ્યું છે, તે એ છે કે પાકિસ્તાન ક્યારે પણ પરમાણુ યુદ્ધ શરૂ કરશે નહીં. હું શાંતિવાદી છું, હું યુદ્ધ વિરોધી છું. અમે માનીએ છીએ કે યુદ્ધ સમસ્યાઓનું સમાધાન કરતું નથી. યુદ્ધ અનપેક્ષિત પરિણામ છે. વિયતનામ અને ઈરાકના યુદ્ધને જુઓ, યુદ્ધ અનેક સમસ્યાઓનું કારણ બન્યું છે. યુદ્ધના કારણે કેટલીક સમસ્યાઓ જરૂરી ઊભી થઈ છે જે મુશ્કેલીઓથી વધુ ગંભીર છે. 

દરેક આંતરરાષ્ટ્રીય મંચથી સંપર્ક કરી રહ્યાં છીએ
ઈમરાન ખાને વધુમાં કહ્યું કે આ જ કારણ છે કે અમે સંયુક્ત રાષ્ટ્ર સાથે સંપર્ક કર્યો છે, અને દરેક આંતરરાષ્ટ્રીય મંચથી સંપર્ક કરી રહ્યાં છીએ, કે તેમણે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ. કારણ કે આ (કાશ્મીર) એક ત્રાસદી છે જે ભારતીય ઉપમહાદ્વીપથી આગળ જશે. 

જુઓ LIVE TV

કાશ્મીરને હડપી લીધુ
કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર તેમણે કહ્યું કે ભારતે 'ગેરકાયદેસર રીતે કાશ્મીરને હડપી લીધુ', અને એકતરફી આંતરરાષ્ટ્રીય કાયદાને તોડી નાખ્યું. 

પોકળ ધમકી આપી
હકીકતમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વારંવાર કાશ્મીર રાગ આલાપી રહ્યાં છે. ઘરેલુ રાજકીય માહોલની સાથે જ જનરલ કમર જાવેદ બાજવાના નેતૃત્વવાળી ઉગ્ર ફૌજના દબાણમાં હતાશ ખાને હવે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લેખ લખ્યો છે. આ લેખમાં ખાને બે પાડોશી દેશો વચ્ચે પરમાણુ યુદ્ધનું જોખમ ગણાવતા તેમણે તેના પરિણામ દુનિયાભરે ભોગવવા પડશે તેવી ધમકી આપી હતી. ભારતે કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને વિશેષ રાજ્યનો દરજ્જો હટાવતા પાકિસ્તાન બરાબર અકળાયું છે.

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news