પુલવામા હુમલાનો આતંકવાદી ઠાર મરાયો, ફાયરિંગમાં 9 લોકો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનો ભંગ થઈ રહ્યો છે. આ ફાયરિંગની આડીમાં પાકિસ્તાન કાશ્મીરમાં પોતાના આતંકીઓની ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ સરહદ પર તહેનાત ભારતીય સુરક્ષા દળોએ બુધવારે બાંદીપોરાના ગુરેજમાં બે પાકિસ્તાની ઘૂસણખોરોનો ખાતમો કર્યો છે. પાકિસ્તાન તરફથી થઈ રહેલા સીઝ ફાયર ભંગમાં એક સ્થાનિક મહિલાનું પણ મોત થયું છે. વિસ્તારમાં આતંકીઓની શોધ માટે સર્ચ ઓપરેશન પણ ચાલુ છે.

Trending news