રાજકોટ પોલીસ ચોકીમાં બેદરકારીથી ગોળી વાગવાનો મામલો, PSI ની ધરપકડ

રાજકોટમાં પોલીસ ચોકીમાં બેદરકારીથીથી ગોળી વાગવાથી મોત નીપજવાનો મામલો વધુ ગૂંચવાયો છે. મૃતકના પરિવારે પીએસઆઈ ચાડવા સામે હત્યાનો આરોપ કર્યો છે અને યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ગઈકાલે પીએસઆઈ ચાડવા (PSI chavada) ની રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી, જેમાં હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નિપજ્યું છે. ઘટનાને લઈને પોલીસે સપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે, એને પીએસઆઈની ધરપકડ કરી છે. જોકે પરિવારે માંગ કરી છે કે, આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. હત્યાનો ગુનો દાખલ કરવાની માગ સાથે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો છે.

Trending news