Video : શિક્ષકો સાથેની મીટિંગ બાદ જુઓ શું કહ્યું શિક્ષણ મંત્રીએ....

શિક્ષકોના ઉગ્ર દેખાવો સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું અને તેમની માંગણી સંતોષવા માટે સરકાર દ્વારા 3 મંત્રીઓના કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. જેના બાદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રાથમિક શિક્ષક સંઘ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષકોના પ્રશ્નો શિક્ષણ મંત્રીએ સાંભળીને તેને ઉકેલવાની દિશામાં પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. શિક્ષણ મંત્રીએ શિક્ષકોને અને આંદોલન સમિતિને ધીરજ રાખવા માટે કહ્યું હતું.

Trending news