બિન સચિવાલય પરીક્ષા મામલે SITની રચના વિશે વિગતવાર રિપોર્ટ

ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી લેવામાં આવેલી બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી હજારો પરીક્ષાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે પરીક્ષાર્થીઓની મહેનત અળે જશે નહીં. પરીક્ષા દરમિયાન જે ઘટના બની છે તેની તપાસ ચાલુ છે. તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવશે. કમલ દયાનીની અધ્યક્ષતામાં SITની બેઠક પણ શરૂ થઈ છે.

Trending news