પાટણ અને સિદ્ધપુરનું ગંજ બજાર બંધનું એલાન, ખેડૂતોને ભારે નુકસાન

એરંડા ના પાકો માટે ગુજરાતનું મુખ્ય પીઠું ગણાતા પાટણ ગંજ બજારમાં સરદાર ગંજ બજાર મર્ચન્ટ એસોસિએશન દ્વારા આજે પાટણ તેમજ સિધ્ધપુર ગંજ બજાર ઓ બંધ રાખવાનું એલાન આપી દેવામાં આવ્યું છે. ગંજ બજાર બંધ રખાતા રોજની આશરે દોઢ કરોડ જેટલી આવક બજારની બંધ થઈ ગઈ છે અને જેના કારણે આની સીધી જ અસર ખેડૂતો પર પડવાની છે. આવનાર દિવસોમાં તહેવારો આવી રહ્યા છે તેને લઈને ખેડૂતોની ખરીદી પણ ના થઈ શકે તેવી શક્યતાઓ રહે છે.

Trending news