150 યુવાનોના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રોજગારની માંગ સાથે ઘરણાં

સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે બંધ રહેશે. પરંતુ સ્થાનિક 150થી વધુ યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ કરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યુ. તેમની માંગણી હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ બનાવવા માટે સ્થાનિક 6 ગામના લોકોએ જમીન અને મકાન સહિતનો ભોગ આપેલો છે.ત્યારે સ્થાનિકોને રોજગારી મળે તેવી માંગણી સાથે 150થી વધુ સ્થાનિક યુવાનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા.

Trending news