Whole matter became controversial News

સંતોએ લાજશરમ વેચી મારી, ગુણાતીત સ્વામીના આત્મહત્યાના વિવાદ વચ્ચે સોખડામાં ઉત્સવની તૈ
સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હાઈકોર્ટને ગુણાતીત સ્વામીની આત્મહત્યા મામલે હાઈકોર્ટને અવગત કરાવવામાં આવી છે. પ્રબોધ સ્વામીના વકીલે ગુણાતીત સ્વામીનું ઉદાહરણ આપી હરિધામના વાતાવરણથી કોર્ટને અવગત કરાવ્યા છે. પ્રબોધ સ્વામીના વકીલે કોર્ટમાં કહ્યું કે, અમે સંતોની સલામતી ઈચ્છીએ છીએ. જ્યારે પ્રેમસ્વરૂપ સ્વામીના વકીલે કહ્યું કે, ચા આપવા ગયા ત્યારે દરવાજો બંધ હતો. ત્યારબાદ મૃતદેહ મળ્યો છે. સાથે જ પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલે કહ્યું કે અમે મધ્યસ્થી માટે તૈયાર છે. કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, બંને પક્ષો સમાધાન કરવા માંગે છે. હાઈકોર્ટના એક નિવૃત્ત જજ સમાધાન કરાવી શકે તેવી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી. આ મામલે ગઈકાલે જ મધ્યસ્થની ચર્ચા થઈ હતી તે પ્રમાણે સીનિયર એડવોકેટ સોખડા જશે અને આવતીકાલે જ ચર્ચા થશે. તેના પ્રમાણે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
Apr 29,2022, 14:46 PM IST
સંસારમાં પરત નહી ફરી શકતા સ્વામીજીએ સંસાર જ ત્યાગી દીધો? ગુણાતીત સ્વામી મુદ્દે ચોંકા
હરિધામ સોખડામાં ફરી એકવાર વિવાદ સામે આવ્યું છે. ગત રાત્રે સોખડા મંદિરમાં ગુણાતીતસ્વામીનું નિધન થતાં તેમના અંતિમસંસ્કારની કાર્યવાહી મંદિરમાં જ આરંભવામાં આવી હતી. જો કે તે અંગે પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ મૃત્યુ અંગે આસંકા વ્યક્ત કરી હતી. તેમનું મૃત્યુ શંકાસ્પદ સ્થિતિમાં થયું હોવાનું હરિભક્તોએ જણાવ્યું હતું. આ અંગે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. એસપીને પણ રજૂઆત કરાઈ હતી. જેને પગલે ગુણાતીતસ્વામીના અંતિમ સંસ્કારની ધડીઓ બાકી હતી ત્યારે પોલીસે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં ગુણાતીતસ્વામીના મૃતદેહના સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમનો વિસેરા રિપોર્ટ પણ લેવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી પુર્ણ થયા બાદ મૃતદેહને સોખડા સ્વામીનારાયણ મંદિરને સોંપવામાં આવ્યો હતો.
Apr 28,2022, 22:05 PM IST

Trending news