Vadodara commissioner News

વડોદરામાં નહી થાય લોકડાઉન, લોકોની ટેસ્ટિંગ માટે લાંબી લાઇનો, માર્કેટમાં ટોળેટોળા
કોરોનાની વિસ્ફોટક સ્થિતિ કાબૂમાં ન આવતા અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યાર બાદ ગુજરાતના અન્ય મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યું કે સંપુર્ણ કર્ફ્યું લગાવવા માટે ઉચ્ચ સ્તરિય અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ પણ હાજર રહ્યા હતા. જો કે વડોદરાની સ્થિતી હાલ કાબૂમાં છે. એટલે હાલ કર્ફ્યુ લગાવવાની કોઇ વિચારણા નહી હોવાનું મંતવ્ય કમિશ્નરે આપ્યું હતું. જેના કારણે હાલ વડોદરામાં લોકડાઉન, કર્ફ્યું કે રાત્રી કર્ફ્યુંની કોઇ જ વિચારણ નહી હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું. કોરોનાની પરિસ્થિતિ વધારે ખરાબ થશે તો, ત્યારબાદ કર્ફ્યુ અંગે વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. 
Nov 20,2020, 18:00 PM IST

Trending news