Unique celebration News

રાજકોટમાં નવદંપત્તીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રભુતામાં પગલા માંડ્યા
શહેરનાં રેલ્વેનગર 2 ખાતે રહેતા સુખદેવસિંહ ગોહિલનાં પુત્ર જયરાજસિંહનાં લગ્ન રાજકોટ ખાતે જ રહેતા મહેશ્વરી બા સાથે યોજાયા હતા. જો કે તેમણે લગ્નનો દિવસ પણ ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરી પસંદ કર્યો હતો. આ ઉપરાંત પ્રભુતામાં પગલા માંડતા પહેલા સવારે 8 વાગ્યે સમગ્ર પરિવારો પોતાનો રાષ્ટ્ર પ્રત્યેમો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો. સમગ્ર પરિવારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે રાષ્ટ્રગીત કરીને દેશનાં ઝંડાને સન્માન આપ્યું હતું. ભારત માતાની છબીની પણ પુજા કરી હતી. આ પ્રસંગમાં ન માત્ર આ બંન્ને પરિવાર પરતું જાનમાં આવેલા મહેમાનો અને યુવતીનાં પરિવાર તરફથી હાજર પરિવારનાં તમામ સભ્યો પણ જોડાયા હતા.
Jan 26,2020, 18:02 PM IST

Trending news