Start News

આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, લાખો વિદ્યાર્થીઓ માટે નિર્ણયાત્મક દિવસોની શરૂઆત
Mar 28,2022, 0:01 AM IST
AHMEDABAD માં 17 ઓગસ્ટથી ચાલુ થશે ફિઝિકલ હિયરિંગ, વકીલોમાં ખુશીનો માહોલ
Aug 6,2021, 22:52 PM IST
મહાશિવરાત્રી મેળાની ઉજવણી શરૂ: સમગ્ર દેશમાંથી સાધુ સંતોની થશે પધરામણી
આવતીકાલે સવારે સ્વયંભુ પ્રગટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શંખનાદ, ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. મહાવદ નોમથી મહાવદ તેરસ (મહાશિવરાત્રી) સુધી યોજાનાર પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના પ્રારંભે સાધુ-સંતોની ઉપસ્થિતમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન કરવામાં આવશે, ત્યાર બાદ શંખનાદ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવશે. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવઆરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રી મેળાનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રયાગરાજથી આવેલા નાગાસાધુઓએ ગીરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળશે. બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠશે.
Feb 17,2020, 21:01 PM IST
મુખ્યમંત્રીનાં હસ્તે કચ્છમાં બે દિવસીય ટુરિઝમ સમિટનું ઉદ્ધાટન
 સરહદી કચ્છ જિલ્લો ગુજરાત ટુરિઝમનું હબ બન્યો છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિથી ધોરડોનું શ્વેત રણ માત્ર દેશ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. અને દેશ-વિદેશમાંથી પ્રતિવર્ષ લાખો પ્રવાસીઓ ધોરડોના સફેદ રણની મુલાકાત માટે કચ્છ અને ગુજરાતમાં આવતા થયા છે. ત્યારે આજે ધોરડો ખાતે બે દિવસીય ટુરિઝમ ડેસ્ટીનેશન મેનેજમેન્ટની નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી પ્રહલાદભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય કોન્ફરન્સ ખુલ્લી મુકાઈ હતી. આ બે દિવસીય ટુરિઝમ સમિટમાં દેશના 17 રાજ્યના પર્યટન સચિવો સહિતના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઢળતી સાંજે આ કોન્ફરન્સને ખુલ્લી મુક્યા બાદ મહાનુભાવોએ ધોરડોના સફેદ રણમાં સનસેટ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી પ્રહલાદભાઈ પટેલે ધોરડોના શ્વેત રણને પુરૂષાર્થ સાથે બનાવવામાં આવેલું સ્થળ ગણાવ્યુ હતું. તેમણે સફેદ રણ થકી કચ્છના થયેલા વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. 
Feb 13,2020, 23:52 PM IST

Trending news