ધેર્યરાજસિંહને મળી ચુકી છે પુરતી મદદ, હવે ઇન્જેક્શન મંગાવવા માટેની તૈયારીઓ શરૂ

  તાજેતરમાં 22 કરોડના ઈન્જેક્શનને લઈને મુંબઈનો એક બાળક ચર્ચામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં પણ એક બાળક આવી જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. જેના ઈન્જેક્શનનો ખર્ચો પોસાતો ન હોવાથી તેના માતાપિતાએ લોકો સામે મદદ માટે હાથ લંબાવ્યા છે. જોકે, ગુજરાતમાં ચારેતરફથી આ બાળકની મદદ માટે લોકો આગળ આવ્યા છે. ત્યારે પરિવાર ને જરૂરી એવી 16 કરોડની રકમ એકત્ર થઈ ચૂકી છે. જે બાદ બાળકના પરિવારે હવે ઇન્જેક્શન ઉપર લાગતા ટેક્સને માફ કરવા સરકાર માં રજૂઆત કરી છે.
ધેર્યરાજસિંહને મળી ચુકી છે પુરતી મદદ, હવે ઇન્જેક્શન મંગાવવા માટેની તૈયારીઓ શરૂ

અમદાવાદ :  તાજેતરમાં 22 કરોડના ઈન્જેક્શનને લઈને મુંબઈનો એક બાળક ચર્ચામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં પણ એક બાળક આવી જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. જેના ઈન્જેક્શનનો ખર્ચો પોસાતો ન હોવાથી તેના માતાપિતાએ લોકો સામે મદદ માટે હાથ લંબાવ્યા છે. જોકે, ગુજરાતમાં ચારેતરફથી આ બાળકની મદદ માટે લોકો આગળ આવ્યા છે. ત્યારે પરિવાર ને જરૂરી એવી 16 કરોડની રકમ એકત્ર થઈ ચૂકી છે. જે બાદ બાળકના પરિવારે હવે ઇન્જેક્શન ઉપર લાગતા ટેક્સને માફ કરવા સરકાર માં રજૂઆત કરી છે.

કોણ છે આ બાળક અને તેને શું બીમારી છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ (Dhairyaraj ) ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજ સિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના બાળકને SMA -1 નામની બીમારી છે. એસ.એમ. એ -1 આ બીમારી એક પ્રકારની સ્નાયુની છે. જેથી બાળક ઉભુ થઈ શક્તુ નથી. તે બીમારી માટે નું ઇન્જેક્શન ભારતમાં અવેલેબલ નથી. ત્યારે વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે. જે માટે રાઠોડ પરિવારને 22 કરોડ રૂપિયા જેટલી રકમની જરૂર છે. ધૈર્યરાજના માતા-પિતા સામાન્ય પરિવારમાંથી આવી છે. જેથી પુત્રની આટલી મોંઘી સારવાર તેમનાથી શક્ય નથી. જેથી સરકાર ધૈર્યરાજની સારવાર માટે મદદ કરે તેવી અપીલ માતા-પિતા દ્વારા કરવામાં આવી હતી. તો બીજી તરફ, આ સમાચાર ચર્ચામાં આવતા ધૈર્યરાજ માટે લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે.

GUJARAT: ગુજરાતના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ
ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet) સાથે જન્મ્યો છે. જેને કરોડરજ્જૂની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે. જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જૂમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. જે નુકસાન તરફ દોરી જાય છે. આ માતા-પિતાના વારસામાં આવેલો રોગ છે જે જનીનો ખામી દર્શાવે છે, ત્યારે આ રોગની સારવાર ખૂબ મોંઘી છે, તેના માટેનું ઈજેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસ.થી મંગાવવું પડે છે. જેની માન્યતા ડિસેમ્બર-2016મા યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન(સ્પિનરાઝા)ને મળેલી છે. કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે. જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે. ગુજરાત સહિત દેશભરમાંથી મળેલી સહાય ના કારણે હાલ સહાયનો આંકડો 16.60 કરોડ પહોંચી ચુક્યો છે..પરિણામે બાળકના માતાપિતા નીં ખુશીનો પાર નથી રહ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news