Red zone News

કન્ફ્યુઝન છે તમને? તો જાણો રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે ક્યાં કેવી મળશે છૂટ
લોકડાઉન 2.0 ખતમ થાય તેના બે દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે શુક્રવારે લોકડાઉન બે અઠવાડિયા માટે આગળ વધારી દીધુ છે. જો કે આ સાથે અનેક છૂટછાટ પણ આપી છે. દેશને 3 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન. આ દરમિયાન રેડ ઝોનમાં પણ કંપનીઓ તો ખુલશે, ફક્ત સંક્રમણ ઝોન(Containment zone)માં તમામ પ્રકારના પ્રતિબંધો લાગુ રહેશે. એટલું જ નહીં રાતના 7 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી બિનજરૂરી ગતિવિધિઓની મંજૂરી નથી. 10 વર્ષથી નાના બાળકો, વૃદ્ધો કે જેમને પહેલેથી કોઈ બીમારી છે તેમને કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. જો રાજ્યો ચાહે તો તેમને જ્યાં ઠીક લાગે, ત્યાં પ્રતિબંધ વધારી શકે છે. પરંતુ કેન્દ્ર સરકારે જે નક્કી કર્યું છે તેમાં છૂટછાટ આપી શકશે નહીં. આ બધા વચ્ચે લોકોમાં હજુ પણ કન્ફ્યૂઝન છે કે ક્યાં શું ખુલશે અને શેના પર પ્રતિબંધ રહેશે?...આવો જાણીએ વિગતવાર...
May 2,2020, 14:11 PM IST
મોટો લોચો, માત્ર એક એક્ટિવ કેસ છતાં જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં મૂક્યું
કેન્દ્ર સરકાર દ્વારા આજે કોરોના (Coronavirus) સંક્રમણથી દેશના રેડ ઝોન અને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન જિલ્લાઓની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોનમાં રાખ્યા છે. તો 19 જિલ્લા ઓરેન્જ ઝોન અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જેમાં જામનગર (Jamnagar) જિલ્લાને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયો છે. જામનગરનો ઓરેન્જ ઝોન (orange zone) માં સમાવેશ કરાતા અસમંજસ થઈ હતી. જામનગરમાં માત્ર કોરોનાનો એક જ પોઝિટિવ કેસ અને એક મોત નોંધાયું છે. 5 એપ્રિલ બાદ જામનગરમાં એક પણ એક્ટિવ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આવામાં જામનગરને ગ્રીન ઝોનમાં સમાવેશ કરવા નાગરિકો દ્વારા માંગ ઉઠી હતી. ત્યારે મોડી રાત્રે જિલ્લા કલેક્ટર દ્વારા
May 1,2020, 23:25 PM IST
અમદાવાદમાં કોરોનાના કુલ 3293 કેસ, જોધપુર વિસ્તારમાં પણ વધ્યા કેસ
કોરોના મામલે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આ શહેરમાં હદ પાર થઈ ગઈ છે. માત્ર અમદાવાદમાં કોરોના (Coronavirus) ના કેસને કારણે ગુજરાત હાલ દેશમાં બીજા ક્રમે છે.  આજના અપડેટ મુજબ, ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4721 છે. જેમાંથી અમદાવાદ (ahmedabad) ના જ 3293 કેસ છે. આજે ગુજરાતમાં કોરોનાના 326 નવા કેસ આવ્યા છે, જેમાંથી 267 માત્ર અમદાવાદના જ છે. હાલ અમદાવાદીઓ સૌથી વધુ હાઈરિસ્ક પર છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 399 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને 165 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મામલે શહેરના મેયર બીજલ પટેલે જણાવ્યું કે, શહેરમાં સ્થિતિ ગંભીર છે. શહેરીજનોને વિનંતી છે કેસરકારના આદેશનો અમલ કરો. ઘરમાં રહો અને સુરક્ષિત રહો. 
May 1,2020, 21:52 PM IST
લોકડાઉનમાં લગાવાયેલ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનનો સાચો મતલબ જાણી લેવો જરૂરી છે
Apr 14,2020, 10:27 AM IST

Trending news