Profiteering News

Corona માં પણ નફાખોરી કરતા મેડિકલ રાક્ષસો સામે પુરવઠ્ઠા વિભાગની લાલઆંખ
 પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા વધારા સાથે તેની સારવાર માટે ICMR ની માર્ગદર્શીકા મુજબ Moderate Condition માં ઓક્સિજનની જરૂરીયાત વધતી હોય તેમજ સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થિતીમાં સુધારો જણાતો ન હોય તેવા કેસમાં દર્દીઓની સારવાર માટે Tocilizumab Injection (Actemra) વાપરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે વપરાતી આ અત્યંત જરૂરી દવાની કાળાબજારી થતી હોવાની મળેલી ફરિયાદના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આવા વેપારીઓ પર લાલ આંખ કરી દરોડા શરૂ કર્યા છે. સુરતમાં દવાના વેચાણ બીલ વગર ગેરકાયદેસર રીતે વધુ ભાવ લઈને કરાતા આ નફાખોરીના કૌભાંડનો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું.
Jul 9,2020, 17:35 PM IST

Trending news