Police convoy News

વાહ સરકાર! શાળા શરૂ કરવા માટે ગામલોકોએ શિક્ષણમંત્રીનું પુતળું બાળ્યું, બેસણું રાખે ત
વિકાસ વિકાસની વાતો વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેવા ગંભીર પ્રકારનાં ચેડા થઇ રહ્યા છે તેની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થી ધોરણ 6 થી 8 ના વર્ગ ફરી શરૂ કરવા માટે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા 4 જુલાઇએ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને લગતો પત્ર સોશિયલ મીડિયા દ્વારા તે જ દિવસે ગામલોકો સુધી પહોંચી ચુક્યો હતો. જો કે અધિકારીક રીતે આ પત્ર હજી સુધી પણ પહોંચ્યો નથી. ગમાનપુરા પ્રાથમિક શાળા અધિકારીક પત્રની રાહ જોઇ રહ્યા છે. ગમાનપુરા પ્રાથમિક શાળા દોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનો પત્ર મળ્યો નથી. હાલ તો આ પત્ર સરકારી કચેરીમાં ફસાયેલો છે. આ પત્ર જ્યાં સુધી નહી આવે ત્યાં સુધી શાળા પણ કામગીરી આગળ વધારી શકશે નહી. 
Jul 7,2022, 17:48 PM IST

Trending news