Lrd issue News

LRD વિવાદ: સવર્ણવર્ગ દ્વારા આંદોલન સમેટવાની જાહેરાત, અનામત વર્ગની માંગ યથાવત્ત
 ગુજરાતનાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 1-8-18નાં પરિપત્રનો વિવાદ થયો હતો. જે અંગે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ પેદા થયું હતું. અનામત અને બિન અનામત બંન્ને વર્ગો દ્વારા પોતાને અન્યાય થઇ હોવાનાં કારણે ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર તરફથી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગૃહ સચિવ સંગીતા સિંઘ અને પોલીસ ભરતીબોર્ડનાં ચેરમેન વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 62.5થી વધારે માર્ક મેળવનાર તમામ મહિલાઓની ભરતીની જાહેરાત સરકારે કરી હતી. 
Feb 17,2020, 19:25 PM IST
સરકારની LRD મુદ્દે જાહેરાત:સવર્ણ/અનામત બંન્ને વર્ગો નાખુશ, આંદોલન યથાવત્ત
LRD ભરતી મુદ્દે મહિલા ઉમેદવારો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો અંત લાવવા રાજ્ય સરકારે આજે નિર્ણય લીધો છે. આ મુદ્દે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડનાં ચેરમેન વિકાસ સહાય વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નાયબમુખ્યમંત્રી નીતન પટેલની પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે.  આ બેઠકબાદ નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજીને જુનો પરિપત્ર આ ભરતીમાં લાગુ નહી પડે તેવું જણાવ્યું હતું. 1 ઓગષ્ટ 2018નાં પરિપત્રની જોગવાઇને ધ્યાને નહી લેવામાં આવે અને જે ઉમેદવારને 62.5 ટકાથી વધારે માર્ક હશે તેનો સમાવેશ આ ભરતીમાં કરવામાં આવશે અને તેનાં માટે સીટો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
Feb 16,2020, 21:32 PM IST
બજેટસત્ર 26મી તારીખે યોજાશે, કોઇને અન્યાય નહી થાય તેવો પરિપત્રમાં સુધારો
Feb 11,2020, 20:55 PM IST

Trending news