VIDEO: અનોખી ભક્તિ, જગતના નાથને રિઝવવા ભક્તે 11 કિલોનો ચોકલેટમાંથી બનાવ્યો રથ

11 કિલો વાઈટ અને ડાર્ક ચોકલેટમાંથી શિલ્પાબેને આ રથ બનાવ્યો છે. જેની લંબાઈ સવા ફૂટ અને પહોળાઈ 1 પૂટ છે. ત્યારે ભગવાન જગન્નાથજીનો ચોકલેટનો રથ ભારે આકર્ષણ જગાવ્યું છે.

VIDEO: અનોખી ભક્તિ, જગતના નાથને રિઝવવા ભક્તે 11 કિલોનો ચોકલેટમાંથી બનાવ્યો રથ

આશ્કા જાની/અમદાવાદ: 145મી રથયાત્રા પર ભગવાના જગન્નાથજીને રિઝવવા માટે ભક્તો અવનવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પાબેન ભટ્ટે ચોકલેટનો રથ બનાવી અનોખી રીતે ભક્તી વ્યક્ત કરી છે. ચોકલેટનો રથ મંદિરમાં ભગવાનને અર્પણ કરીને મંદિર દ્વારા તેનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવશે.

11 કિલો વાઈટ અને ડાર્ક ચોકલેટમાંથી શિલ્પાબેને આ રથ બનાવ્યો છે. જેની લંબાઈ સવા ફૂટ અને પહોળાઈ 1 પૂટ છે. ત્યારે ભગવાન જગન્નાથજીનો ચોકલેટનો રથ ભારે આકર્ષણ જગાવ્યું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 30, 2022

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, જગતના નાથને દર વર્ષે ભક્તો વિવિધ રીતે લાડ લડવતા હોય છે, ભગવાન જગન્નાથજીને રિજવવાનો પ્રયાસ કરાતો હોય છે. ત્યારે અમદાવાદના ચોકલેટ મેકર શિલ્પાબેન ભટ્ટ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ચોકલેટનો રથ બનાવ્યો છે, જે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શિલ્પાબેન ભટ્ટે 11 કિલો ચોકલેટમાંથી ભગવાનનો રથ બનાવાયો છે. ભગવાનનો રથ બનાવવા માટે વાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરાયો છે. જેની લંબાઈ સવા ફૂટ અને પહોળાઈ 1 ફૂટ જેટલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news