કોરોના બાદ પ્રથમવાર નિકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, સુરક્ષા ઘેરો તૂટે નહીં આ સિસ્ટમનો થશે ઉપયોગ

રાજ્યમાં થોડા સમય પહેલા રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજે અમદાવાદમાં નિકળનારી રથયાત્રાને લઈને શહેર પોલીસે ખાસ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. 

કોરોના બાદ પ્રથમવાર નિકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, સુરક્ષા ઘેરો તૂટે નહીં આ સિસ્ટમનો થશે ઉપયોગ

મૌલિક ધામેચા, અમદાવાદ: ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર પોલીસે કોરોના બાદની પ્રથમ એવી શ્રદ્ધાળુઓ સાથે નિકળનાર રથયાત્રાને પગલે તૈયારીઓ આરંભી છે. મહત્વનું છે કે આ વર્ષે પોલીસે ટ્રક, હાથી અને ભજનમંડળીમાં GPS લગાવવાનું પ્લાનિંગ કરાયું છે. આવો અમદાવાદ પોલીસના ખાસ એક્શન પ્લાન વિશે વિગતવાર જોઇએ. 

રાજ્યમાં થોડા સમય પહેલા રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજે અમદાવાદમાં નિકળનારી રથયાત્રાને લઈને શહેર પોલીસે ખાસ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. રથયાત્રામાં જોડાનારા તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૂટના તમામ ટ્રક, હાથી અને ભજન મંડળીઓમાં GPS સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમથી જે તે વાહન કે વ્યક્તિનું લોકેશન મેળવવું સરળ બનશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે સમયે GPSની મદદથી જે તે વાહન અને વ્યક્તિને સરળતાથી શોધી શકાય. સાથે જ બંદોબસ્તમાં જોડાયેલા 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો તૂટે નહીં માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું હતું કે પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આ રીતે પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ લોકો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટેનું પ્લાનિંગ કર્યું છે. શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી તમામ ડેટા એકત્રિત કરાયો છે. જેનાથી જે તે અધિકારીઓને સ્થાનિક માહિતી મળી શકે.તો બહારથી બંદોબસ્તમાં આવનાર અધિકારીઓને પણ તમામ માહિતીઓ મળી રહે અને સાથે જ જે-તે વિસ્તારના આરોપી, શાંતિ સમિતિના સભ્યોનો ડેટા આ એપ્લિકેશનમાં ફિટ કરવામાં આવ્યો છે. તો ઇમરજન્સી વખતે સંપર્ક સાધવા બાબતની માહિતીઓ પણ તર્કશ એપ્લિકેશનથી મળી રહે તે માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે.

આ તો થઈ હાલના પોલીસ પ્લાનિંગની વાત પણ બીજી તરફ હજુય કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું પોલીસ વિચારી રહી છે. શાંતિથી અને સુચારુ રૂપે રથયાત્રા સંપન્ન થાય તે માટે તમામ બાબતો પર ધ્યાન રાખી પોલીસ હ્યુમન વર્કથી માંડી ટેકનોલોજી સુધીનું પ્લાનિંગ કરી રહી છે.જે રથયાત્રા માટે ફળદાયી બની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news