Examination News

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પ્રમાણમાં સરળ, પછીની સ્થિતિ વિકરાળ થઇ, વિદ્યાર્થીઓની મ
Apr 24,2022, 17:23 PM IST
પરીક્ષાઓનાં ઇતિહાસમાં ક્યારે નહી લેવાયો હોય તેવો હેડક્લાર્કની પરીક્ષામાં નિર્ણય
88 હજાર ઉમેદવારોના ભવિષ્ય સાથે ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીએ જ ચેડાં કર્યાનો પર્દાફાશ થયો છે. જેના કારણે હવે તંત્ર સામે જ સવાલો ઉઠવા લાગ્યા છે. પોલીસને હાથ લાગ્યા પેપર લીકમાં પસંદગી મંડળના અધિકારીની જ સંડોવણી પુરાવા જેના પગલે હવે સ્થિતિ હવે કાબુ બહાર હોવાનું પોલીસ સાથે સરકાર પણ માની રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પોલીસને હાથ લાગ્યા ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારી/અધિકારીની સંડોવણીના પુરાવા હાથ લાગ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે સંકળાયેલા કર્મચારીની સીધી મિલીભગત સામે આવી છે. મંડળના જ કર્મચારી આ મામલે સામેલ હોવા અંગે તપાસ ચાલી રહી છે. જયેશ પટેલને પેપર પહોંચાડનાર મંડળ સાથે જોડાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યુઁ છે. તેથી પોલીસે એ દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે.
Dec 17,2021, 21:31 PM IST
28 સપ્ટેમ્બરથી ધોરણ 12ની પૂરક પરીક્ષા,2 વિષયમાં નાપાસ વિદ્યાર્થી પણ આપી શકશે પરીક્ષા
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 28મી સપ્ટેમ્બરથી સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થશે. 6 ઓક્ટોબરના રોજ તમામ વિષયોની પુરક પરીક્ષા તબક્કાવાર રીતે પુર્ણ થશે. સવારે 10.30થી બપોરે 1.45 અને ત્યાર બાદ બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધી પૂરક પરીક્ષા લેવાશે. માર્ચ 2020માં લેવાયેલી પરીક્ષા કે જેમાં એક બે બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓએ જો નોંધણી કરાવી હોય તો તેઓ પરીક્ષા આપી શકશે. પરીક્ષા ઉતર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવાશે. 28 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 6 ઓક્ટોબરે પૂર્ણ થશે. સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા પણ 28 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે જે 3 ઓક્ટોબરે પૂર્ણ થશે.
Sep 11,2020, 18:38 PM IST
સુરત: MBBS ની ફાઇનલ યરની પરીક્ષાનો વિરોધ, ડીને કહ્યું પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી ચોથી ઓગષ્ટથી MBBS ની અંતિમ વર્ષની પરીક્ષાની તારીખો જાહેર થઇ છે. જેના પગલે વિદ્યાર્થીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે ખચકાઇ રહ્યા છે. પરીક્ષાના કારણોથી અપડાઉન અથવા શહેરમાં રહેવાની વ્યવસ્થા કઇ રીતે કરવી તે વિદ્યાર્થીઓ માટે સવાલ છે. આ ઉપરાંત કોઇ પણ રીતે તેઓ સંક્રમિત થાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો થઇ રહ્યા છે. આ ઉપરાંત કોરોનાને કારણે વિદ્યાર્થીઓ યોગ્ય તૈયારીઓ પણ નહી કરી શક્યા હોવા ઉપરાંત લોકડાઉનનાં કારણે કેટલોક અભ્યાસક્રમ પણ બાકી છે તેવામાં પરીક્ષા કઇ રીતે લઇ શકાય તેવો સવાલ થયો છે. 
Jul 28,2020, 16:34 PM IST

Trending news