Displaced people News

53 વર્ષથી પોતાની જમીન માટે લડી રહેલા વિસ્થાપિતોને આખરે પોતાનો હક્ક મળ્યો
ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાના વિકાસ માટે 1969 માં વિસ્થાપિત બનેલ પરિવારોને આખરે 53 વર્ષે પોતાનો હક્ક મળ્યો હતો. ૩૦૦ ચોરસ મીટર જમીન માત્ર 1 રૂપિયાના ટોકન લઈને 99 વર્ષના હક્ક પત્ર મળતા નવાગામના લોકોએ આઝાદી મળી હોવાનું જણાવ્યું હતું.ગિરિમથક સાપુતારાના વિકાસ માટે પોતાની કિંમતી જમીન સરકારને સુપ્રત કરનારા, મૂળ ૪૨ જેટલા જમીનધારક પરિવારો, અને તેમના વધેલા વંશ વારસદારો વિસ્થાપિત થયાના 6 દાયકા સુધી પોતાના હક માટે લડત ચલાવતા હતા. અનેક આવેદન અને આંદોલન બાદ આખરે 53 વર્ષે ગુજરાત સરકારે નવાગામ ખાતે આ પરિવારોને ૩૦૦ ચોરસ મીટર જમીન ઉપર હક્ક હોવાના લેખિત પત્ર અપાતા નવાગામના રહેવાસીઓ આજે આઝાદી મળી હોવાનું જણાવી રહ્યા છે. 
Apr 28,2022, 23:43 PM IST

Trending news