3 એપ્રિલના સમાચાર News

ગુજરાતમાં આવેલા તબલિગી જમાતના 68 હજી પણ મિસીંગ, સરકારે HCમાં સોંપ્યો રિપોર્ટ
આજે અમદાવાદમાં કોરોના (corona virus) ના કુલ 7 નવા કેસ આવ્યા, જેમાંથી એક દિલ્હીના નિઝામુદ્દીન તબલિગી જમાતના મરકજ (Nizamuddin Markaz) માં હાજરી આપનાર શખ્સ પણ છે. આજે હાઈકોર્ટમાં કોરોના વાયરસ મામલે સુનવણી શરૂ થઈ. જેમાં ગુજરાત સરકારે કોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, નિઝામુદ્દીન તબગિલી જમાત (Tablighi Jamaat) ના કાર્યક્રમમાથી 68 લોકોની શોધખોળ થઈ શકી નથી. પોલીસ હજુ તેઓની શોધખોળ કરી રહી છે. 83 લોકોને આઇડેન્ટિફાઈ કરીને કવોરંટાઇન કરાયા છે. આ તમામ તબલિગી જમાતમાં ભાગ લીધેલા અથવા નિઝામુદ્દીન જઇ આવેલા લોકો છે. આવા લોકોની ભાળ મેળવવા માટે RAWની મદદ પણ લેવાઈ રહી છે. આવી અનેક રજૂઆત એડવોકેટ જનરલે હઈકોર્ટ (HC) માં કરી છે. 
Apr 3,2020, 13:50 PM IST
કોરોના ભારતની અર્થવ્યવસ્થાને ભાંગીને ભૂક્કો કરી નાંખશે, જુઓ શું કહે છે ADBનો રિપોર્ટ
Apr 3,2020, 13:11 PM IST
કોરોનાનો સૌથી વધુ ખતરો અમદાવાદીઓને, 7 વર્ષની બાળકી પણ આવી ઝપેટમાં....
Apr 3,2020, 12:07 PM IST
Lockdownમાં રામાયણે તોડી નાંખ્યા TRPના તમામ રેકોર્ડ
કોરોના વાયરસ (corona virus) ની જંગ જીતવા માટે સરકાર તરફથી દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ વચ્ચે દૂરદર્શને (Doordarshan) 80ના દાયકાની પોતાની ફેમસ સીરિયલ રામાયણ અને મહાભારતે પુન પ્રસારિત કરવાનો નિર્ણય લીધો હતો. જેના બાદ અનેક લોકોને પોતાની બાળપણની મેમરી તાજી થઈ. તો કેટલાક લોકોએ તેની મજા પણ ઉડાવી. પણ હવે જાણવા મળ્યું છે કે, રામાયણે (ramayan) ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. રામાયણની ટક્કરમાં હાલ કોઈ પણ ટીવી શો નથી આવ્યો. આ શોની ટીઆરપી વિશે માહિતી આપતા ડીડી નેશનલના સીઈઓ શશી શેખરે ટ્વિટ કરીને કહ્યું કે, મને  આ વાત જણાવતા આનંદ થાય છે કે દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલા રામાયણ શો વર્ષ 2015 થી અત્યાર સુધીનો સૌથી વધુ ટીઆરપી જનરેટ કરતો હિન્દી જનરલ એન્ટરટેઈનમેન્ટ શો બન્યો છે. આ વાત તેમણે બાર્કના ડેટાના માધ્યમથી જણાવી છે. 
Apr 3,2020, 11:23 AM IST
વડોદરાને બીજો ઝટકો, 24 કલાકમાં કોરોનાના બીજા દર્દીનું મોત, ગુજરાતમાં કુલ મોત 8
વડોદરા (vadodara) માં કોરોના વાયરસે વધુ એક દર્દીનો ભોગ લીધો છે. ગઈકાલે એક દર્દીના મોત બાદ 24 કલાકમાં બીજા દર્દીનું મોત થયું છે. ગોધરાના કોરોનાના દર્દી અબ્દુલ હકીમ પટેલનું મોડી રાત્રે મોત નિપજ્યું છે. ગુરુવારની મોડી રાત્રે સારવાર દરમિયાન તેઓએ દમ તોડ્યો હતો. દર્દીનો બે દિવસ પહેલા જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 78 વર્ષના દર્દી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા દર્દી બે ખાનગી હોસ્પિલમાં સારવાર લઈને આવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે તેમના મોતની પુષ્ટિ કરી છે. હાલ દર્દીના સંપર્કમાં આવેલા 9 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus)થી મરનારા લોકોનો આંકડો 8 પર પહોંચી ગયો છે. 
Apr 3,2020, 8:08 AM IST

Trending news