વ્યુઇંગ ગેલેરી News

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જતા પ્રવાસીઓ સાવધાન! આ નહી વાંચો તો જરૂર પસ્તાશો
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં  પ્રવાસીઓ નો ધસારો વધ્યો છે. વ્યૂ ગેલેરીની ટિકિટો 31 ડિસેમ્બર સુધીની હાઉસ ફૂલ થઇ જતા તંત્ર દ્વારા સુરક્ષા સાથે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. બસોની સુવિધાઓ પણ વધારાઈ આ રજાના દિવસોમાં તંત્ર ખડે પગે રહી પ્રવાસીઓની સવલત વધારાવાનાં પ્રયાસો કરી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહીત સમગ્ર ભારત અને વિદેશો નાતાલના પર્વ ધૂમધામથી ઉજવાય છે. તહેવારનો માહોલ નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બર સુધી ચાલશે. જેથી પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કરે છે.
Dec 25,2019, 22:42 PM IST

Trending news