મજૂરો News

વતન જવા માટે ધીરજ ગુમાવેલ પરપ્રાંતિયોનો દહેજમાં ચક્કાજામ કરીને હોબાળો
લોકડાઉન (Lockdown) બાદ ગુજરાતમાં બેકાર બનેલા અને અકળાયેલા પરપ્રાંતિયો વતન જવાની જીદે ચઢ્યા છે. રાજ્યભરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રહે છે, જેઓ હાલ કામ ન હોવાથી પોતાના વતન જવા ઈચ્છી રહ્યાં છે. સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જે લોકો સુવિધા મેળવી શક્યા છે તે પરપ્રાંતિયો (migrants) પોતાનો કાબૂ ગુમાવી રહ્યા અને રસ્તા પર ઉતરી આવ્યા છે. રોજ ગુજરાતના વિવિધ શહેરોમાં પરપ્રાંતિયો વતન જવાની ઈચ્છા દર્શાવીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે ભરૂચના  દહેજમાં વતન જવા માટે ધીરજ ગુમાવેલ પરપ્રાંતિયોએ હોબાળો મચાવ્યો હતો. જોલવા નજીક માર્ગ પર તમામ દ્વારા ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો. જેથી દહેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
May 14,2020, 11:31 AM IST
આજે પણ અમદાવાદના GMDC મેદાનમાં 1000થી વધુ પરપ્રાંતિયો એકઠા થયા
અમદાવાદ(Ahmedabad) માં આવેલા GMDC મેદાન ખાતે આજે ઉત્તરાખંડના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રોજગારી માટે અમદાવાદ આવેલા અને લોકડાઉનમાં ફસાયેલા 1 હજારથી વધુ લોકો ભેગા થયા હતા. તમામ લોકોને GMDC મેદાન ખાતેથી બસના માધ્યમથી રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. તો સાથે જ જે લોકો પાસે વતન પરત ફરવાની જરૂરી મંજૂરી નથી તેવા લોકોને અલગ કરવામાં આવી રહ્યા છે. વતન પરત ફરવાની મંજૂરી ન મળી હોય એવા લોકો પણ GMDC મેદાન ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા છે. વતન પરત ફરવા અંગેની મંજૂરીનો મેસેજ હોય તેવા લોકોને રોકવવા અને હજુ મંજૂરી ન મળી હોય તેવા લોકોને પોલીસ દ્વારા ઘરે પરત ફરવા અપીલ કરાઈ રહી છે.
May 14,2020, 9:06 AM IST
અમદાવાદથી હિંમતનગર જતા શ્રમિકો અરવલ્લી પહોંચ્યા તો હદ સીલ હતી, કર્યો હોબાળો
May 13,2020, 10:27 AM IST
મજૂરોની સુરક્ષિત ઘરવાપસી માટે તૈયારીઓ શરૂ, કોરોનાથી સાજા થવાનો દર 25 ટકાથી વધુ 
કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી દેશમાં લોકડાઉન લાગ્યું હોવાના કારણે વિભિન્ન ભાગોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો અને વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચાડવા માટે રાજ્યોએ ગુરુવારે તૈયારી શરૂ કરી દીધી છે. આ બાજુ દેશમાં સંક્રમણના 33,600થી વધુ કેસ સામે આવ્યાં છે. અને મૃતકોની સંખ્યા 1100 નજીક છે. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ -19ના દર્દીઓના સાજા થવાનો દર પણ પંદર દિવસ પહેલાના લગભગ 13 ટકા કરતા વધીને લગભગ 25.2 ટકા થઈ ગયો છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો બીજો તબક્કો રવિવારે ખતમ થઈ રહ્યો છે. આવામાં લોકો આ લોકડાઉન આગળ વધશે કે પછી શું પગલું લેવાશે તે માટે સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે. દેશમાં 25મી માર્ચથી લોકડાઉન લાગુ છે. પહેલા 14 એપ્રિલ સુધી લોકડાઉન લગાવાયું હતું અને ત્યારબાદ તેને 3 મે સુધી લંબાવવામાં આવ્યું હતું. 
May 1,2020, 7:36 AM IST
સૌરાષ્ટ્રમાં ફસાયેલા મજૂરોને વતન પહોંચાડવા STના ડ્રાઈવરોને રખાયા સ્ટેન્ડ ટુ
Apr 27,2020, 21:27 PM IST

Trending news