ક્યાર News

‘ક્યાર’ને કારણે છેલ્લાં 24 કલાકમાં 136 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો, ખેડૂત
Oct 30,2019, 10:55 AM IST
'ક્યાર' વાવાઝોડાની અસર, ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, પાકને પુષ્કળ
ગુજરાતમાં ક્યાર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે કેર મચાવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લામાં અચાનક હવામાન પલટાયું. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. મંગળવારે રાતે સૂરતમાં હવામાનમાં પલટો આવ્યો અને ભારે વરસાદે લોકોની દિવાળીની મજા બગાડી. જનજીવન અત્યંત પ્રભાવિત થયું. સવારથી જ કાળા વાદળો ઘેરાયેલા હતાં. નવસારીમાં પણ સતત વરસાદ વરસ્યો. ખુબ પવન અને આંધી તોફાનથી વરસાદ વરસ્યો. ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતામા છે. આ બાજુ અમદાવાદમાં પણ શિયાળાની શરૂઆત થવાની જગ્યાએ હવામાનમાં પલટો થતા વરસાદ વરસ્યો. આ જોતા એવું લાગે છે કે વરસાદ હજુ જવાનું નામ લેતો નથી. 
Oct 30,2019, 8:06 AM IST
‘ક્યાર’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું, પણ દિવાળીની સવારથી જ ગુજરાતમાં ઠેકઠેકા
Oct 27,2019, 11:03 AM IST
દરિયામાં ‘ક્યાર’ વાવાઝોડું વધુ સક્રિય બન્યું, દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બ
અરબી સમુદ્રમાં ક્યાર નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે. ત્યારે આ વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ છે. 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો છે. જેની સીધી અસર માછીમારી, ખેતી અને પર્યટન ક્ષેત્રે જોવા મળી છે. તેમજ ભારે પવનના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. રાજ્યમાં 'ક્યાર' વાવાઝોડાને પગલે તમામ બંદરો પર સિગ્નલ લગાવાયા. ઓખા, પોરબંદર, જામનગર, નવલખી અને કચ્છના બંદરે 2 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચના આપી છે. તેમજ યાત્રાધામ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. દરિયામાં ભારે પવન અને કરંટના કારણે આ નિર્ણય લેવાયો. ગુજરાત મેરીટાઈમ બોર્ડે આ નિર્ણય લીધો છે. જેને કારણે દર્શને આવતા પ્રવાસીઓને પરત ફરવુ પડ્યું છે.  
Oct 26,2019, 14:32 PM IST

Trending news