Asia Cup 2023: ભારતીય ટીમ સાથે 1524 દિવસ બાદ બન્યો વિચિત્ર સંયોગ, કરોડો ચાહકોના વધી ગયા હૃદયના ધબકારા!

Indian cricket Team : કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને છે, જ્યાં એશિયા કપના સુપર-4 રાઉન્ડ (Super-4) માં બંને ટીમો વચ્ચે મેચ ચાલી રહી છે. 10 સપ્ટેમ્બરે સતત વરસાદને કારણે આ મેચ રિઝર્વ ડે સુધી લંબાવવામાં આવી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા સાથે એક વિચિત્ર સંયોગ બન્યો છે.

Asia Cup 2023: ભારતીય ટીમ સાથે 1524 દિવસ બાદ બન્યો વિચિત્ર સંયોગ, કરોડો ચાહકોના વધી ગયા હૃદયના ધબકારા!

India vs Pakistan, Reserve Day: ભારતીય ટીમ એશિયા કપ (Asia Cup-2023)ના સુપર-4 રાઉન્ડમાં કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરી રહી છે. વરસાદ અને ખરાબ હવામાનને કારણે આ મેચ રવિવાર 10 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ શકી ન હતી. આ માટે રિઝર્વ ડે (Reserve Day) એટલે કે સોમવાર 11 સપ્ટેમ્બર રાખવામાં આવ્યો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા (Team India) સાથે એક અજીબોગરીબ સંયોગ બન્યો છે જેના કારણે ભારતીય ટીમના કરોડો અને અબજો ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે.

કોલંબોમાં ચાલુ છે મેચ
એશિયા કપના સુપર-4 રાઉન્ડ (Super-4) ની મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ચાલી રહી છે, જ્યાં ભારત અને પાકિસ્તાન આમને-સામને છે. બંને ટીમો 10 સપ્ટેમ્બરે સામસામે હતી પરંતુ સતત વરસાદને કારણે મેચ રિઝર્વ ડે સુધી લંબાવવામાં આવી હતી. આ મેચનું પરિણામ હવે રિઝર્વ ડે એટલે કે 11મી સપ્ટેમ્બરે આવે તેવી શક્યતા છે.

વિરાટ અને રાહુલ ફરી ઉતરશે
આ મેચની શરૂઆત ત્યાંથી થશે જ્યાંથી વરસાદને કારણે રોકી દેવામાં આવી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન બનાવ્યા હતા. હવે રિઝર્વ ડેમાં પણ ભારતીય ટીમ આ સ્કોર સાથે રમવાનું શરૂ કરશે. રમત બંધ થઈ ત્યારે વિરાટ કોહલી 8 અને કેએલ રાહુલ 17 રન બનાવીને ક્રિઝ પરહતો. આ બંને મજબૂત બેટ્સમેન 11મી સપ્ટેમ્બર એટલે કે રિઝર્વ ડે પર બેટિંગ કરવા ઉતરશે.

સંયોગ 1524 દિવસ બાદ સર્જાયો સંયોગ
ભારતીય ટીમ 1524 દિવસ પછી રિઝર્વ ડે પર વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. હવે તેણે પાકિસ્તાનનો સામનો કરવાનો છે. અગાઉ, વર્ષ 2019માં ભારતીય પ્રશંસકોની આશા ઠગારી નીવડી હતી, જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રિઝર્વ ડે પર રમાયેલી મેચમાં 18 રને પરાજય પામી હતી. એવામાં ટીમ ઈન્ડિયા અને અબજો ચાહકોના હૃદયના ધબકારા વધી રહ્યા છે.

જો ભારત હારશે તો ફાઇનલમાં કેવી રીતે પહોંચશે?
જો વિસ્ફોટક ઓપનર રોહિત શર્માની કપ્તાનીમાં રમાઇ રહેલી ભારતીય ટીમ પાકિસ્તાન સામેની મેચ હારી જશે તો તેના માટે એશિયા કપ-2023ની ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની જશે. ટીમ ઈન્ડિયાએ બીજા જ દિવસે એટલે કે 12 સપ્ટેમ્બરે શ્રીલંકાનો સામનો કરવાનો છે. શ્રીલંકાની ટીમે બાંગ્લાદેશને હરાવ્યું અને હવે તેના ખેલાડીઓને આરામ કરવાનો સમય મળ્યો. એવામાં તેઓ ફ્રેશ થઈને મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ, ભારતીય ખેલાડીઓ સતત ત્રીજા દિવસે મેચ રમશે. ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવવું જરૂરી રહેશે. તેને 15 સપ્ટેમ્બરે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં જ બાંગ્લાદેશનો સામનો કરવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news