IND vs WI: ટી20 સીરીઝ પહેલાં જ ટીમ ઇન્ડીયાને આંચકો, એકસાથે રોહિતના બે મેચ વિનર થયા બહાર

વેસ્ટ ઈન્ડીઝ સામે ત્રણ મેચની વનડે સીરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે આ ટીમ સામે ટી20 સીરીઝ જીતવા પર હશે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી T20 સિરીઝ રમાશે. પરંતુ આ શ્રેણી પહેલા જ કેપ્ટન રોહિત શર્માને મોટો ઝટકો લાગ્યો છે.

IND vs WI: ટી20 સીરીઝ પહેલાં જ ટીમ ઇન્ડીયાને આંચકો, એકસાથે રોહિતના બે મેચ વિનર થયા બહાર

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડીઝ સામે ત્રણ મેચની વનડે સીરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે આ ટીમ સામે ટી20 સીરીઝ જીતવા પર હશે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી T20 સિરીઝ રમાશે. પરંતુ આ શ્રેણી પહેલા જ કેપ્ટન રોહિત શર્માને મોટો ઝટકો લાગ્યો છે. જોકે રોહિતના બે મોટા મેચ વિનર આ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.

આ બે સ્ટાર ખેલાડી થયા બહાર
તાજેતરમાં, બીસીસીઆઇએ જાહેરાત કરી છે કે વાઈસ-કેપ્ટન કેએલ રાહુલ અને સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રણ મેચની ટી20 સીરીઝમાંથી બહાર થઈ ગયા છે. રોહિત શર્મા માટે આ એક મોટો આંચકો છે કારણ કે રાહુલ ટીમનો સૌથી મજબૂત બેટ્સમેન છે અને રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં અક્ષર પટેલ જેવો ઓલરાઉન્ડર ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શક્યો હોત. પરંતુ હવે આ બંને ખેલાડીઓ આ સીરીઝમાંથી બહાર થઈ ગયા છે.

— ANI (@ANI) February 11, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news