અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજાની સુનાવણી પૂર્ણ, સોમવારે વધારે સુનાવણી હાથ ધરાશે

શહેરમાં 26 જુલાઇ 2008 ના દિવસે થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઇ ચુક્યો છે. કોર્ટે 78 માંથી 49 આરોપીઓની UAPA હેઠળ દોષિત ઠેરવી દીધા છે. આ કેસમાં શંકાના આધારે 29 આરોપીઓને હાઇકોર્ટ દ્વારા છોડી દેવામાં આવ્યા હતા. જો કે 49 દોષિતો માટેની સજાની આજે 10.45 વાગ્યે સિટી સિવિલ કોર્ટમાં સુનાવણી ચાલુ થઇ હતી. તમામ આરોપીઓને જેલમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર કરવામાં આવ્યા હતા. 
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજાની સુનાવણી પૂર્ણ, સોમવારે વધારે સુનાવણી હાથ ધરાશે

અમદાવાદ : શહેરમાં 26 જુલાઇ 2008 ના દિવસે થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઇ ચુક્યો છે. કોર્ટે 78 માંથી 49 આરોપીઓની UAPA હેઠળ દોષિત ઠેરવી દીધા છે. આ કેસમાં શંકાના આધારે 29 આરોપીઓને હાઇકોર્ટ દ્વારા છોડી દેવામાં આવ્યા હતા. જો કે 49 દોષિતો માટેની સજાની આજે 10.45 વાગ્યે સિટી સિવિલ કોર્ટમાં સુનાવણી ચાલુ થઇ હતી. તમામ આરોપીઓને જેલમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર કરવામાં આવ્યા હતા. 

આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી રજુ કરાયા હતા. આરોપી પક્ષ દ્વારા દોષીતોની મેડિકલ, શૈક્ષણિક લાયકાત અને ઘરની પરિસ્થિતિ અંગેની વિગતો કોર્ટમાં રજુ કરી હતી. જો કે આજે દોષિતો વિરુદ્ધની સુનાવણી પુર્ણ થઇ ચુકી છે. કોર્ટે આરોપીઓનો પક્ષ સાંભળ્યો છે. હવે સોમવારે વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે. 

અમદાવાદમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સજા અંગેની આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઇ હતી. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77 પૈકી 51 આરોપીઓ બંધ છે. તમામ આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી હાજર રહ્યા હતા. સમગ્ર મુદ્દે સોમવારથી સજા ફટકારવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, આ બહુપ્રતિક્ષિત ચુકાદા અંગે સમગ્ર રાજ્ય લાંબા સમયથી રાહ જોઇ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news