ENGvIND: અંતિમ બે ટેસ્ટ માટે પૃથ્વી અને વિહારીને ટીમમાં સ્થાન મળ્યું

યુવા બેટ્સમેન પૃથ્વી શો અને આંધ્રપ્રદેશના મધ્યક્રમના બેટ્સમેન જી.હનુમા વિહારીને ઇંગ્લેન્ડની વિરુદ્ધ અંતિમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે

ENGvIND: અંતિમ બે ટેસ્ટ માટે પૃથ્વી અને વિહારીને ટીમમાં સ્થાન મળ્યું

નવી દિલ્હી : યુવા બેટ્સમેન પૃથ્વી શો અને આંધ્રપ્રદેશના મધ્યક્રમના બેટ્સમેન જી.હનુમા વિહારીને ઇંગ્લેન્ડની વિરુદ્ધ અંતિમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અનુભવી ઓપનર મુરલી વિજયને પહેલી બે ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન બાદ બહાર કરી દેવામાં આવ્યો જ્યારે ચાઇનામેન કુલદીપ યાદવને 12માં ખેલાડી તરીકે સ્થાન આપવા આવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, ઇંગ્લેન્ડે ફાસ્ટ બેટ્સમેનની મદદગાર પિચો પર ત્રીજા સ્પિનરની જરૂર નથી.

જેને જોતા કુલદીપને ટીમની બહાર કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ વિજયને ખરાબ ફોર્મના કારણે ટીમમાં સ્થાન મળી સકે છે. વિજયે બર્મિંગમમાં બે દાવમાં 20 અને 6 રન બનાવ્યા હતા જ્યારે શિખર ધવન અને કે.એલ રાહુલ વધારે સારુ પ્રદર્શન કરી રહ્યા છે. 

ભારતને આ વર્ષે અંડર-19 વર્લ્ડકપ વાળા શોને પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સારા પ્રદર્શનનો ફાયદો મળ્યો છે. ભારતીય ટીમમાં 5 મેચોની સીરીઝમાં 1-2થી પછાડ્યું હતું. સીરીઝની ચોથી ટેસ્ટ 30 ઓગષ્ટે રમવામાં આવસે. 

અંતિમ 2 ટેસ્ટના માટે ટીમ ઇન્ડિય
વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, કે.એલ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, આંજિક્ય રહાણે, કરુણ નાયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, આર. અશ્વિન, રવિંદ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, હનુમા વિહારી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news