#Me Too : કેટ શર્માએ સુભાઈ ઘઈ સામેની જાતિય શોષણની ફરિયાદ પાછી ખેંચી, કારણ ચોંકાવનારું

કેટ શર્માએ પોતાની ફરિયાદ પાછી ખેંચતા લખ્યું છે કે, પોલીસની તપાસ પદ્ધતિને કારણે તે પરેશાન થઈ ગઈ હતી

#Me Too : કેટ શર્માએ સુભાઈ ઘઈ સામેની જાતિય શોષણની ફરિયાદ પાછી ખેંચી, કારણ ચોંકાવનારું

નવી દિલ્હીઃ થોડા દિવસો અગાઉ #Me Tooની ફરિયાદ બાદ અભિનેતા આલોકનાથ સામે એફઆઈઆર નોંધાઈ હોવાના સમાચાર આવ્યા હતા. હવે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સુભાષ ઘઈ પર જાતિય શોષણનો આરોપ લગાવનારી કેટ શર્માએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. કેટે જણાવ્યું કે, લોકો #Me Tooને મજાક બનાવે છે. સાથે જ તેણે પોલીસના વલણ સામે પણ સવાલ ઊભા કર્યા છે. 

પોલીસે કરી હેરાન 
કેટે મીડિયાને જણાવ્યું કે, પોલીસ દ્વારા આ કેસને હેન્ડલ કરવાની રીતથી તેને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. તેણે જણાવ્યું કે, તે પોતાની બીમાર માતાની સાર-સંભાળ લેવા માગે છે અને નિર્દેશક સુભાષ ઘઈ સામે બોલવાનો નિર્ણય લીધા બાદ તેના પરિવારના સભ્યો પરેશાન થઈ ગયા છે. અભિનેત્રીએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે મુંબઈ ડીએન નગર પોલીસ સ્ટેશનને એક પત્ર લખ્યો છે. 

કેટે મુંબઈ પોલીસને લખેલો પત્ર. (ફોટો સાભાર @Katesharma)

રિપોર્ટ્સ અનુસાર એક વરિષ્ઠ પોલિસ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે, તેમને કેટના નિર્ણય અંગે માહિતી આપવામાં આવી હતી, જ્યારે તેણે એક નિવેદન નોંધાવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. અભિનેત્રીએ એ સમયે મીડિયાને જણાવ્યું હતું કે તેણે આ આરોપ અંગે પોતાના પરિવારજનોને કોઈ સુચના આપી ન હતી. આથી સમાચારોમાં જ્યારે તેનું નામ ચમક્યું ત્યારે ઘરના સભ્યો પરેશાન થઈ ગયા હતા. કેટે હવે જણાવ્યું છે કે, તેની માતાની તબિયત ખરાબ હોવાને કારણે આ કેસના સંદર્ભમાં વારંવાર નિવેદન આપવા આવવું-જવું તેના માટે શક્ય નથી. 

કેવો આરોપ લગાવ્યો હતો ઘઈ ઉપર 
કેટ શર્માએ આરોપ લગાવ્યો હતો કે, ચાલુ વર્ષે 6 ઓગસ્ટના રોજ સુભાષ ઘાઈએ તેને બર્થ ડે પાર્ટી આપવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી અને સૌની સામે બોડી મસાજ આપવા માટે કહ્યું હતું. સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરતાં કેટ શર્માએ જણાવ્યું કે, સુભાષ ઘઈને બોડી મસાજ આપ્યા બાદ હું હાથ ધોવા જતી રહી હતી. જોકે એ જ સમયે સુભાષ ઘઈ મારી પાછળ આવ્યા હતા અને મને એક રૂમમાં બોલાવી હતી. આ દરમિયાન તેમણે મને કિસ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. 

કોણ છે કેટ શર્મા 
કેટ શર્મા સ્ટાર પ્લસની ધારાવાહિક 'મેરી દુર્ગા'માં જોવા મળી ચુકી છે. મેરી દુર્ગા ધારાવાહિક બાદ તે સુભાષ ઘઈની ફિલ્મ 'એતરાઝ'ની સિક્વલમાં દેખાવાની હતી. રિપોર્ટ્સ અનુસાર 'એતરાઝ'ની સિક્વલ સાઈન કર્યા બાદ જ સુભાષ ઘઈ અને કેટનું બોન્ડિંગ ઘણું સારું થઈ ગયું હતું. આટલું જ નહીં કેટના જન્મદિવસે સુભાષ ઘઈએ એક શાનદાર પાર્ટી પણ આોયોજિત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news