Astro Tips: પૂજા કરતાં પહેલા શા માટે વગાડવામાં આવે છે ઘંટડી ? વાત નથી સામાન્ય કારણ છે ખાસ

Astro Tips: વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણથી પણ એ વાત પ્રમાણે થઈ છે કે ઘંટનો અવાજ આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. પૂજા પહેલા ઘંટડી વગાડવાનો રિવાજ છે તેથી લોકો તેનું અનુકરણ તો કરે છે પરંતુ મોટાભાગના લોકો એ ઘંટડી ઉપર ધ્યાન આપતા નથી. દરેક ઘંટ ઉપર એક દેવતાનું ચિત્ર હોય છે. આ ચિત્ર કોનું હોય છે અને તેનું મહત્વ શું છે? ચાલો તમને જણાવીએ. 

Astro Tips: પૂજા કરતાં પહેલા શા માટે વગાડવામાં આવે છે ઘંટડી ? વાત નથી સામાન્ય કારણ છે ખાસ

Astro Tips: પૂજાની શરૂઆત ઘરમાં થાય કે મંદિરમાં બંને જગ્યાએ એક વસ્તુ સામાન્ય જોવા મળે છે. પૂજા શરૂ થાય પહેલા ઘંટી વગાડવામાં આવે છે. પૂજા દરમ્યાન પણ ઘંટડી વગાડવામાં આવે છે. ઘંટડી વગાડી આવી ન આવે તો પૂજા પાઠ પૂરા થતા નથી. મંદિરમાં તો પ્રવેશ દ્વાર ઉપર જ મોટો ઘંટ લગાડવામાં આવે છે. લોકો મંદિરમાં પ્રવેશ કરે ત્યારે આ ઘંટ વગાડતા હોય છે. મંદિરમાં કે ઘરમાં ઘંટડી વગાડવાનું ધાર્મિક મહત્વ હોય છે. 

વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણથી પણ એ વાત પ્રમાણે થઈ છે કે ઘંટનો અવાજ આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. પૂજા પહેલા ઘંટડી વગાડવાનો રિવાજ છે તેથી લોકો તેનું અનુકરણ તો કરે છે પરંતુ મોટાભાગના લોકો એ ઘંટડી ઉપર ધ્યાન આપતા નથી. દરેક ઘંટ ઉપર એક દેવતાનું ચિત્ર હોય છે. આ ચિત્ર કોનું હોય છે અને તેનું મહત્વ શું છે? ચાલો તમને જણાવીએ. 

આ પણ વાંચો:

પૂજા પાઠ દરમિયાન જે ઘંટડી બગાડવામાં આવે છે તેને ગરુડ ઘંટડી કહે છે. તેના ઉપર ગરુડ દેવતાનું ચિત્ર અંકિત હોય છે. આ ઘંટડી વગાડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઘંટી વગાડવાથી આસપાસના વાતાવરણમાંથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. આ ઘંટડી વગાડીને કરવામાં આવેલી પૂજાથી મનોકામના પૂર્ણ થાય છે.

હિન્દુ ધર્મ અનુસાર ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે. ઘંટડી ઉપર ગરુડદેવ નું ચિત્ર એટલા માટે હોય છે કે ગરુડદેવ વાહન બનીને ભક્તોની મનોકામના ને ભગવાન સુધી પહોંચાડે. ગરુડ ઘંટડી વગાડીને પૂજા કરવામાં આવે તો ભક્તોની મનોકામના ભગવાન વિષ્ણુ પૂરી કરે છે. સાથે જ માન્યતા એવી પણ છે કે ગરુડ ઘંટડી વગાડનાર વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે.

ગરુડ ઘંટડીમાંથી નીકળતો અવાજ

ગરુડ ઘંટડી વગાડવાનું અન્ય એક કારણ એ પણ છે કે તેમાંથી નીકળતો અવાજ એવો જ અવાજ છે જેના દ્વારા સૃષ્ટિની રચના થઈ હતી. આજ કારણ છે કે દરેક મંદિરના પ્રવેશ દ્વાર ઉપર એક ઘંટ લગાડવામાં આવે છે જ્યારે ભક્તો મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે આ ઘંટ વગાડે છે જેના કારણે વાતાવરણમાં સકારાત્મકતા આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news