Tulsi Totke: તુલસીની મંજરી આ ચમત્કારી ઉપાય બનાવશે ધનિક, રૂપિયાથી છલકાશે તિજોરી

Tulsi Manjari Upay: ધાર્મિક દ્રષ્ટિ કોણથી તુલસીમાં માંજર આવવા ખૂબ જ શુભ ગણાય છે. તુલસીના માંજરના કેટલાક ઉપાયોનું વર્ણન પણ જ્યોતિષશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. આ ઉપાયો કરવાથી ભાગ્યોનો સાથ મળે છે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને જણાવીએ તુલસીના માંજરના ચમત્કારિક ઉપાયો વિશે.

Tulsi Totke: તુલસીની મંજરી આ ચમત્કારી ઉપાય બનાવશે ધનિક, રૂપિયાથી છલકાશે તિજોરી

Tulsi Manjari Totke: તુલસી ધાર્મિક મહત્વ ધરાવતો છોડ છે. દરેક હિન્દુના ઘરમાં તુલસીની રોજ પૂજા થાય છે. જોકે તુલસી આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિ કોણ છે પણ મહત્વનો છોડ છે. તુલસીના પાનનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી મુક્તિ મળે છે. જેમ જેમ તુલસીનો છોડ મોટો થાય છે તેમ તેમાં વારંવાર માંજર પણ નીકળતા હોય છે. ધાર્મિક દ્રષ્ટિ કોણથી તુલસીમાં માંજર આવવા ખૂબ જ શુભ ગણાય છે. તુલસીના માંજરના કેટલાક ઉપાયોનું વર્ણન પણ જ્યોતિષશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. આ ઉપાયો કરવાથી ભાગ્યોનો સાથ મળે છે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને જણાવીએ તુલસીના માંજરના ચમત્કારિક ઉપાયો વિશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે તુલસીના છોડમાં માંજર આવે તે ખૂબ જ શુભ ગણાય છે. ભગવાન વિષ્ણુને તુલસીની સાથે માંજર પણ પ્રિય છે. ભગવાન વિષ્ણુને તુલસીના માંજર ચઢાવવાથી અટકેલું ધન પરત મળે છે.

આર્થિક પરેશાની થશે દૂર
જો તમને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તુલસીના માંજર તોડી અને તેને એક લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ઘરમાં હંમેશા માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે. 

શુક્રવારે કરો આ ઉપાય
શુક્રવારના દિવસે ધનની દેવી મા લક્ષ્મીને તુલસીની મંજરી ચઢાવી વિધિ વિધાનથી પૂજા કરો. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન તો થાય છે સાથે જ ધન આવવાના તમામ દ્વારા ખુલી જાય છે. 

લગ્ન ન થવાની સમસ્યા થશે દૂર
જો કોઇ વ્યક્તિના લગ્ન થવામાં સમસ્યા આવી રહી છે તો તેને દૂધમાં તુલસીની માંજરી નાખીને શિવલિંગ પર ચઢાવવું જોઇએ. તેનાથી લગ્નનો યોગ બને છે. 

ધરમાંથી દૂર થશે નકારાત્મક ઉર્જા
ઘરમાં અવારનવાર ક્લેશ થતો હોય તો એક પાત્રમાં ગંગાજળ કાઢી તેમાં તુલસીના માંજર ઉમેરીને ઘરની ઉત્તર દિશામાં રાખી દો. ત્યાર પછી રોજ સવારે આ જળનો છંટકાવ આખા ઘરમાં કરો. તેનાથી ઘરમાંથી ક્લેશ દુર થશે અને ઘરમાં સુખ-શાંતિ વધશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news