અક્ષય તૃતીયા પર તમારા જીવનમાં અપાર ખુશીઓ લાવશે આ 5 શુભ યોગ

Akshay Tritiya: હિંદુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને 'અક્ષય તૃતીયા' કહેવામાં આવે છે. અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં ખુબ જ શુભ દિવસ માનવામાં આવે છે. એવી પૌરાણિક માન્યતા છેકે, આ જ દિવસે ભગવાન વિષ્ણુ પોતાના છઠ્ઠા અવતારમાં અવતરીત થયા હતાં. આ દિવસને ત્યારથી જ એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.  

અક્ષય તૃતીયા પર તમારા જીવનમાં અપાર ખુશીઓ લાવશે આ 5 શુભ યોગ

AKSHAYA TRITIYA 2024: હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસને ભગવાનનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે સોનાની ખરીદી ધનનો વધારો કરાવશે એવું માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મેના રોજ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયા પર કોઈપણ શુભ કાર્ય કરવાથી અખૂટ ફળ મળે છે. આ સિવાય આ દિવસે ખરીદી કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ત્યાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર 5 શુભ યોગોનો સંયોગ પણ બની રહ્યો છે. એવું પણ કહેવાય છેકે, 100 વર્ષ બાદ આ પ્રકારનો શુભ યોગ અને સંયોગ બની રહ્યો છે.

1. ગજકેસરી યોગ:
10 મે, 2024ના રોજ અક્ષય તૃતીયાના દિવસે ચંદ્ર અને ગુરુના સંયોગથી ગજકેસરી યોગ બનશે. આ યોગ સવારે 06:13 કલાકે શરૂ થશે અને બીજા દિવસે બપોરે 12:22 કલાકે સમાપ્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન પ્રાપ્તિ માટે આ યોગ ખૂબ જ સારો માનવામાં આવે છે.

2. રવિ યોગ:
વૈદિક શાસ્ત્રો અનુસાર રવિ યોગ માન, સન્માન અને કીર્તિ મેળવવા માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર રવિ યોગ સાંજે 06:13 વાગ્યે શરૂ થશે અને 11 મેના રોજ બપોરે 12:22 વાગ્યે સમાપ્ત થશે.

3. ધન યોગ:
મીન રાશિમાં મંગળનો યુતિ ધનનું સર્જન કરશે. અક્ષય તૃતીયા પર એટલે કે 10મી મેના રોજ સવારે 08.54 વાગ્યાથી બીજા દિવસે 11મીએ સવારે 11.36 વાગ્યા સુધી રવિ યોગ રહેશે. આર્થિક લાભ માટે આ યોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

4. શુક્રદિત્ય યોગ:
શુક્ર અને સૂર્યના સંયોગથી શુક્રદિત્ય રાજયોગ રચાય છે. જ્યોતિષીય ગણતરી મુજબ, તે અક્ષય તૃતીયાના રોજ સવારે 10.54 વાગ્યે શરૂ થશે અને 11 મેના બીજા દિવસે બપોર સુધી ચાલુ રહેશે. આર્થિક લાભ અને ધનની પ્રાપ્તિ માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

5. શશા અને માલવ્ય યોગ:
10 મેના રોજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં શશ યોગ બનાવશે અને મંગળ મીન રાશિમાં માલવ્ય રાજયોગ બનાવશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news