Shani Upay: સુતા ભાગ્યને જગાડી દેશે આ 1 ઉપાય, શનિની સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ થશે ઓછો

Shani Upay: શનિના ખરાબ પ્રભાવને ઘટાડવા માટે શિવજી અને હનુમાનજીની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે. આ સિવાય અન્ય કેટલાક ઉપાય પણ છે જેને કરવાથી શનિ સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય. આજે તમને આવો જ એક ચમત્કારી અને તુરંત ફળ આપતા ઉપાય વિશે જણાવીએ. જેને કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ ઓછો થઈ શકે છે.

Shani Upay: સુતા ભાગ્યને જગાડી દેશે આ 1 ઉપાય, શનિની સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ થશે ઓછો

Shani Upay: ગ્રહોની બદલતી ચાલના કારણે વ્યક્તિને શુભ અને અશુભ પરિણામ ભોગવવા પડે છે. જીવનમાં જે ઉતાર ચડાવ આવતા હોય છે તે પણ ગ્રહોની બદલતી ચાલના કારણે હોય છે. ઘણી વખત વિચાર આવે કે બધું બરાબર ચાલતું હતું અને અચાનક સમસ્યા ક્યાંથી આવી ગઈ? આ પ્રકારની ઘટના પણ ગ્રહ દોષના કારણે બનતી હોય છે. ખાસ કરીને વ્યક્તિને શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ સૌથી વધારે સતાવે છે. કારણ કે શનિ સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે જેના કારણે સાડાસાતીની અસર પણ લાંબા સમય સુધી રહે છે. 

શનિના ખરાબ પ્રભાવને ઘટાડવા માટે શિવજી અને હનુમાનજીની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે. આ સિવાય અન્ય કેટલાક ઉપાય પણ છે જેને કરવાથી શનિ સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય. આજે તમને આવો જ એક ચમત્કારી અને તુરંત ફળ આપતા ઉપાય વિશે જણાવીએ. જેને કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ ઓછો થઈ શકે છે.

શનિદોષ દૂર કરવાનો ઉપાય

મંગળવાર કે શનિવારના દિવસે શમીની પૂજા કરવાથી વિશેષ ફળમાં મળે છે. માનવામાં આવે છે કે શમીના ઝાડમાં શનિદેવનો વાસ હોય છે તેથી તેની પૂજા કરવાથી જીવનના કષ્ટ પણ દૂર થાય છે. શનિદોષ દૂર કરવા માટે શનિવારના દિવસે શમીના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ. આ સિવાય મકર, કુંભ અને મીન રાશિના લોકોએ રોજ શમીના ઝાડની પૂજા કરવી જોઈએ.. આમ કરવાથી શનિ ગ્રહ મજબૂત થાય છે.

શનિદેવના અશુભ પ્રભાવથી બચવું હોય તો સંધ્યા સમયે શમીના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો અને તેમાં કાળા તલ ઉમેરી દેવા. તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ સિવાય સોમવારના દિવસે શિવલિંગ પર શમીના પાન અર્પણ કરવા. જો તમે અનેક પ્રયત્ન કરતા હોય તેમ છતાં કાર્યોમાં સફળતા મળતી ન હોય તો શમીના પાન શિવલિંગ પર અર્પણ કરો ત્યારે આ મંત્રનું ઉચ્ચારણ કરવું. દર સોમવારે આમ કરશો તો તમારા કાર્યમાં તમને સફળતા ચોક્કસથી મળશે.

શિવ પૂજાનો મંત્ર - અમંગલાનાં ચ શમનીં શમનીં દુષ્કૃતસ્ય ચ, દુ:સ્વપ્રનાશિનીં ધન્યાં પ્રપદ્યેહં શમીં શુભામ્

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news