Shani Jayanti 2021: આ 7 કાર્યો કરવાથી શનિ દેવની હંમેશા રહેશે કૃપા દ્રષ્ટિ, ભૂલેચૂકે ન કરતા આ 6 કામ!

શનિ જયંતીના દિવસે આ કામ કરાશો તો શનિદેવ થશે ખુશ. અને આ કામ કરશો તો શનિદેવ થશે નાખુશ. નવ ગ્રહોમાં શનિદેવનું ખાસ સ્થાન પ્રાપ્ત છે. શનિજયંતી પર 148 વર્ષ પછી સૂર્યગ્રહણ થશે.

Shani Jayanti 2021: આ 7 કાર્યો કરવાથી શનિ દેવની હંમેશા રહેશે કૃપા દ્રષ્ટિ, ભૂલેચૂકે ન કરતા આ 6 કામ!

ઝી બ્યૂરો, અમદાવાદ: શનિ જયંતીનો દિવસ શનિદેવ માટે સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે શનિદેવની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે શનિજયંતી 10 જૂન 2021ના દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની નિમિતે અમે તમને શનિજયંતીના દિવસે કયા કાર્યો કરવા જોઈએ તેના વિશે જણાવવા માગીએ છીએ.

આ કામ કરવાથી શનિદેવ થશે નાખુશ

  • પશુ- પક્ષીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ.
  • બીજાનું ધન લેવાનો પ્રયત્ન ન કરવો જોઈએ
  • શનિદેવ ખોટુ અને અનૈતિક કામ કરવાવાળા લોકો પર નાખુશ થઈ શકે છે.  
  • પરિશ્રમ કરવાવાળા લોકોનું અપમાન ન કરવું જોઈએ.
  • નિર્ધન અને કમજોર લોકોને હેરાન ન કરવા જોઈએ.
  • મિત્ર અને સગાઓને દગો દેવો જોઈએ નહીં, બીજાનું સારૂ જોઈને ઈર્ષાન કરવી જોઈએ

લગ્ન થવામાં વારંવાર આવે છે કોઈકને કોઈક વિધ્ન? લાંબા સમયથી નથી થઈ રહ્યાં લગ્ન? તો કરો આ ઉપાય

આ કામ કરવાથી શનિદેન થશે ખુશ

  • શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ
  • બીજા લોકોની હમેંશા મદદ કરવી જોઈએ.
  • દુ:ખ અને ગંભીર રોગોથી પીડિત વ્યક્તિઓની સેવા કરવી જોઈએ.
  • જરૂરયાત વ્યક્તિઓને મદદ કરવી જોઈએ.
  • આ દિવસે તરસ્યા લોકોને પાણી પીવડાવવું જોઈએ.
  • નિર્ધન લોકોને અન્ન,ચોખા, છત્રી અને કાળી ચાદરનું દાન કરવું જોઈએ.
  • પ્રકૃતિની રક્ષા અને સેવા કરવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news