Shani Gochar 2023: 30 વર્ષ બાદ આ 3 રાશિના જાતકોને મળશે મોટી રાહત, શનિની અમીદ્રષ્ટિથી ધનના ઢગલા થશે

Saturn Transit 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ પોતાના નિશ્ચિત સમયે ગોચર કરતો રહે છે. તમામ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ મનાય છે. અત્રે જણાવવાનું કે એક ગ્રહમાં અઢી વર્ષ સુધી શનિ બિરાજમાન રહે છે. અને એ હિસાબે શનિને તે જ ગ્રહમાં પાછા ફરવામાં 30 વર્ષનો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે નવા વર્ષની શરૂઆતના મહિનામાં શનિ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. 

Shani Gochar 2023: 30 વર્ષ બાદ આ 3 રાશિના જાતકોને મળશે મોટી રાહત, શનિની અમીદ્રષ્ટિથી ધનના ઢગલા થશે

Saturn Transit 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ પોતાના નિશ્ચિત સમયે ગોચર કરતો રહે છે. તમામ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ મનાય છે. અત્રે જણાવવાનું કે એક ગ્રહમાં અઢી વર્ષ સુધી શનિ બિરાજમાન રહે છે. અને એ હિસાબે શનિને તે જ ગ્રહમાં પાછા ફરવામાં 30 વર્ષનો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે નવા વર્ષની શરૂઆતના મહિનામાં શનિ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. 

શનિ હાલ મકર રાશિમાં છે અને 17 જાન્યુઆરીના રોજ મકરમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને આ સાથે જ કેટલીક રાશિના જાતકોના જીવનમાં મોટો ફેરફાર જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંભ રાશિમાં શનિ 30 વર્ષ બાદ ગોચર કરવા જઈ રહ્યો છે. આવામાં તે 3 રાશિઓને ખુબ ફાયદો કરાવશે. 

મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિના કુંભ રાશિમાં ગોચર કરવાથી સૌથી વધુ ફાયદો મિથુન રાશિના જાતકોને થવાનો છે. અત્રે જણાવવાનું કે આ રાશિના નવમ ભાવમાં શનિ ગોચર કરવા જઈ રહ્યો છે. તેને ભાગ્ય અને વિદેશ યાત્રાનું સ્થાન માનવામાં આવે છે. વર્ષ 2023માં મિથુન રાશિના જાતકોનું ભાગ્ય ચમકવાનું છે. આ દરમિયાન ખાસ્સો ધનલાભ થશે. વિદ્યા સંલગ્ન મામલાઓમાં પણ શુભ ફળ પ્રાપ્ત થશે. અચાનક ખુબ ધનલાભ થશે. 

સિંહ રાશિ
શનિ દેવ પણ આ રાશિના જાતકો પર વિશેષ કૃપા વરસાવશે. સમગ્ર વર્ષ આ રાશિના લોકોને ખુબ લાભ થશે. આ દરમિયાન આ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે અને અટકેલા કામ પૂરા થશે. અત્રે જણાવવાનું કે શનિ આ રાશિના સાતમા ભાવમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. તેને વિવાહ ને જીવનના સાથી ગણવામાં આવે છે. આવામાં વ્યવસાયિક સમજૂતિઓમાં લાભ થશે. જ્યારે નોકરીયાતો માટે પણ આ સમય કોઈ વરદાનથી કમ નથી. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

મીન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મીન રાશિના જાતકો માટે પણ આ ગોચર સારું પરિણામ લઈને આવશે. અત્રે જણાવવાનું કે શનિ આ રાશિના 12માં  ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન મીન રાશિના લોકોએ ફાલતું ખર્ચા પર કાબૂ રાખવો પડશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. એટલું જ નહીં આ રાશિના જાતકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવા જઈ રહ્યો છે. જો તમે આ દરમિાયન ધનનું રોકાણ યોગ્ય રીતે  કરશો તો વધુને વધુ લાભ કમાવવામાં સફળ થશો. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news