કાલે Sankashti Chaturthi, મહેનત કર્યા પછી પણ ન મળતી હોય સફળતા તો કરી લો આ ઉપાય

Sankashti Chaturthi 2023: આવતી કાલે જેઠ માસની ચતુર્થીની તિથિ છે. આ દિવસે સંકટ ચતુર્થી ઉજવવામાં આવે છે. સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવાથી અધૂરા કામ પણ પૂરા થાય છે અને કાર્યોમાં સફળતા મળે છે. આ વખતે સંકટ ચતુર્થી 8 મે ના રોજ છે.

કાલે Sankashti Chaturthi, મહેનત કર્યા પછી પણ ન મળતી હોય સફળતા તો કરી લો આ ઉપાય

Sankashti Chaturthi 2023: સનાતન ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનિય માનવામાં આવ્યા છે. કોઈપણ પૂજા હોય કે શુભ કાર્ય તેની શરૂઆત ગણેશજીની પૂજાથી જ થાય છે. ગણેશજીના આશીર્વાદ મળી જાય એટલે કાર્યોમાં સફળતા મળે છે. ગણેશજીની આરાધના કરવા માટેનો ખાસ દિવસ આવતીકાલે છે. આવતી કાલે જેઠ માસની ચતુર્થીની તિથિ છે. આ દિવસે સંકટ ચતુર્થી ઉજવવામાં આવે છે. સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવાથી અધૂરા કામ પણ પૂરા થાય છે અને કાર્યોમાં સફળતા મળે છે. આ વખતે સંકટ ચતુર્થી 8 મે ના રોજ છે. તો ચાલો જણાવીએ તમને એવા ચમત્કારિક ઉપાય જેને સંકટ ચતુર્થીના દિવસે કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. 

આ પણ વાંચો:

સંકટ ચતુર્થીનો પ્રારંભ 8 મે 2023 ના રોજ સાંજે 6.18 કલાકથી થશે. અને તેનું સમાપન 9 મે 2023 ના રોજ સાંજે 4.08 એ થશે. સંકટ ચતુર્થી ના દિવસે ભગવાન ગણેશની સાથે ચંદ્રમાની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે વ્રત કરી ભગવાન ગણેશની આરાધના કરવાની હોય છે. 

શાસ્ત્રો અનુસાર સંકટ ચતુર્થી ના દિવસે સવારે વહેલા જાગી અને નિત્ય ક્રિયા કરી સ્નાન કરવું જોઈએ. ત્યાર પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન ગણેશની પૂજા કરી વ્રત કરવું જોઈએ. તેના માટે ભગવાન ગણેશની સ્થાપના લાકડાના બાજોટ પર કરવી અને પછી હળદરનું તિલક કરવું તેમને લાડુનો પ્રસાદ ધરાવવો અને ઘી નો દીવો કરવો. 

ભગવાન ગણેશ સામે દીવો પ્રજવલિત કરી પોતાની ભૂલ માટે ક્ષમા માંગવી અને આખો દિવસ વ્રત કરવું. સંકટ ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા કરવાથી અને વ્રત કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જ જીવનમાં આવેલા કષ્ટનું પણ નિવારણ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news