30 વર્ષ બાદ ચૈત્રી નવરાત્રી પર બનશે દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, સુખ-સંપત્તિમાં બંપર વધારો થશે

આ સાથે જ ચૈત્ર નવરાત્રી પર ખુબ દુર્લભ સંયોગ પણ બની રહ્યા છે. આ વખતે ચૈત્રી નવરાત્રી પર અમૃતસિદ્ધિ યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ અને શશ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ બંને યોગ ચૈત્ર નવરાત્રીમાં 30 વર્ષ બાદ બનવા જઈ રહ્યા છે.

30 વર્ષ બાદ ચૈત્રી નવરાત્રી પર બનશે દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, સુખ-સંપત્તિમાં બંપર વધારો થશે

સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રી ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ સાથે જ દર વર્ષે ચૈત્ર નવરાત્રી સાથે હિન્દુ નવવર્ષની પણ શરૂઆત થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થશે અને માતાના 9 દિવસનું સમાપન 17 એપ્રિલના રોજ રામનવમીના દિવસે થશે. ચૈત્ર નવરાત્રીના 9 દિવસમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની ઉપાસના થાય છે. આ વખતે ચૈત્ર નવરાત્રી ખુબ ખાસ માનવામાં આવી રહી છે. 

ઘોડા પર સવાર થઈને આવશે માતા
માતા દુર્ગા જ્યારે પણ ધરતી પર આવે છે ત્યારે સવારી બદલાઈ જાય છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યાં મુજબ આ વર્ષે માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે. આ વખતે પ્રતિપદા તિથિ 8 એપ્રિલના રોજ રાતે 11.50 વાગ્યાથી શરૂ થશે અને પ્રતિપદા તિથિનું સમાપન 9 એપ્રિલના રોજ રાતે 8.30 વાગે થશે. ઉદયાતિથિ મુજબ આ વખતે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલના રોજ મનાવવામાં આવશે. 

દુર્લભ યોગ બનશે
આ સાથે જ ચૈત્ર નવરાત્રી પર ખુબ દુર્લભ સંયોગ પણ બની રહ્યા છે. આ વખતે ચૈત્રી નવરાત્રી પર અમૃતસિદ્ધિ યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ અને શશ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ બંને યોગ ચૈત્ર નવરાત્રીમાં 30 વર્ષ બાદ બનવા જઈ રહ્યા છે. તો ચાલો જાણીએ કે ચૈત્રી નવરાત્રીથી કઈ રાશિઓના અચ્છે દિનની શરૂઆત થવા જઈ રહી છે. 

મેષ રાશિ
મેષ રાશિવાળા માટે ચૈત્રી નવરાત્ર સારા દિવસો  લાવશે. તમામ કાર્યોમાં પ્રગતિ થશે. માતા દુર્ગાની કૃપાથી ધનલાભ થશે. નવા કાર્યોની શરૂઆત કરી શકે છે. નોકરીમાં સફળતા મળી શકે છે. 

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળાને શુભ સંયોગથી ખુબ લાભ થવાનો છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. તથા ધન સંપત્તિમાં વધારો થશે. સફળતાની રાહમાં આવતી અડચણો દૂર થશે. 

કર્ક રાશિ
કર્ક રાશિવાળાઓ માટે શુભ સંયોગ ખુશીઓ અને ધન સંપત્તિ લાવનારો રહેશે. વિદેશમાં નોકરી મળવાનો રસ્તો પણ સરળ થઈ શકે છે. ધન ધાન્યમાં વધારો થશે. જીવનમાં તમામ કષ્ટ દૂર થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news