Basant Panchmi 2023: મા સરસ્વતીના આશીર્વાદ માટે કરો આ ઉપાય, સફળતા તમારા ચરણ ચૂમશે...

Basant Panchmi 2023 Upay, Saraswati Puja: બસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે. આ ખાસ દિવસે માતા સરસ્વતીની સાચા હૃદયથી પૂજા કરવાથી જ્ઞાન અને બુદ્ધિ મળે છે. વસંતઋતુના દિવસે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Basant Panchmi 2023: મા સરસ્વતીના આશીર્વાદ માટે કરો આ ઉપાય, સફળતા તમારા ચરણ ચૂમશે...

નવી દિલ્હીઃ ગુજરાતી પંચાંગ મુજબ વસંતપંચમી મહા સુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે...આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે. શીખ સમાજના લોકો આ દિવસે પતંગોત્સવ ઊજવે છે. હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે. માતા સરસ્વતીની સાચા ભાવથી પૂજા કરવાથી જ્ઞાન અને બુદ્ધિ મળે છે. વસંતઋતુના દિવસે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વસંતપંચમીએ નાના બાળકોને લખવાનું શીખવવામાં આવે છે. આ વખતે વસંત પંચમી તારીખ 26 જાન્યુઆરી છે. જો તમે પણ તમારી મનોકામના પૂર્ણ કરવા માંગો છો, તો તમારે મા સરસ્વતીને કેટલીક વિશેષ વસ્તુઓ અર્પણ કરવી પડશે...

માતા સરસ્વતીને વિદ્યાની દેવી કહેવાય છે..જ્ઞાન અને બુદ્ધિ મેળવવા માટે વસંતપંચમીએ પીળા ફૂલ ચઢાવી સરસ્વતી માતાની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે મા સરસ્વતીને પીળી વસ્તુઓ ખૂબ જ પ્રિય હોય છે. મા સરસ્વતીની પૂજામાં તેમના પ્રિય ફૂલનો ઉપયોગ કરવાથી ભક્તોને આશીર્વાદ મળે છે.

હિંદુ ધર્મમાં તિલક લગાવવાને દેવી-દેવતાઓનો પ્રસાદ માનવામાં આવે છે. તમે માતા સરસ્વતીની પૂજામાં ખાસ કરીને કેસર અથવા પીળા ચંદનના તિલકનો ઉપયોગ કરો. માતા સરસ્વતીના ચરણોમાં કેસર અથવા પીળા ચંદન અર્પણ કર્યા પછી કપાળમાં તિલક કરો...

કહેવાય છે કે કોઈપણ દેવી-દેવતાની પૂજા ત્યાં સુધી અધૂરી માનવામાં આવે છે જ્યાં સુધી તેમની પૂજામાં નૈવેદ્ય ચઢાવવામાં ન આવે. એવી રીતે મા સરસ્વતીની પૂજામાં તેમને મનપસંદ પ્રસાદ એટલે કે પીળા રંગની મીઠાઈ ચઢાવો અને પીળા રંગના ફળ પણ ચઢાવો. આ સિવાય માતાને ખાંડ અને કેસરથી બનેલી ખીર અર્પણ કરો.

જ્ઞાન મેળવવા માટે વસંત પંચમીના દિવસે વીણા વાદિનીની પૂજા કરો. આ સાથે પૂજા કરતી વખતે હળદરની માળાથી ઓમ સરસ્વત્યાય નમઃ મંત્રનો જાપ કરો.

જો કોઈ બાળકને ભણવામાં મન ન લાગે તો સરસ્વતી પૂજાના દિવસે 22 આમલીના પાન લો અને તેમાંથી 11 પાંદડામાં મા સરસ્વતીનું ચિત્ર અથવા યંત્ર ચઢાવો. અને બાકીના 11 પાંદડાને સફેદ કપડામાં લપેટીને તમારી સાથે રાખો. આ ઉપાયથી બાળક અભ્યાસમાં ધ્યાન આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news