ગ્રહણ દરમિયાન કરેલા આ ટોટકા પૈસાની તંગી કરશે દુર, માતા લક્ષ્મીનું ઘરમાં થશે આગમન

Grahan Upay 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણના સમય દરમિયાન કેટલાક ઉપાયો કરવામાં આવે તો ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. એટલે કે ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. આ ઉપાયો કરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે.

ગ્રહણ દરમિયાન કરેલા આ ટોટકા પૈસાની તંગી કરશે દુર, માતા લક્ષ્મીનું ઘરમાં થશે આગમન

Grahan Upay 2023: જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કહેવાય છે કે ગ્રહણ કોઈ પણ હોય પરંતુ તે દરમિયાન કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે. વર્ષ 2023 નું પહેલું ગ્રહણ સૂર્યગ્રહણ હશે અને તે 20 એપ્રિલ અને ગુરુવારના દિવસે થશે. સૂર્યગ્રહણ પછી 15 દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણના સમય દરમિયાન કેટલાક ઉપાયો કરવામાં આવે તો ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. એટલે કે ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. આ ઉપાયો કરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે. તો ચાલો તમને જણાવીએ કે ગ્રહણ દરમિયાન કયા ઉપાયો કરવા જોઈએ. 

આ પણ વાંચો:

કરજથી મુક્તિ મેળવવા

જો તમે કરચથી પરેશાન હોય અને તેનાથી મુક્તિ મેળવવી હોય તો ગ્રહણના દિવસે આ ઉપાય કરવા. તેના માટે બજારમાંથી એક નવું તાળું ખરીદવું અને તેને એક રાત ઘરમાં રાખો. ત્યાર પછી સવારે આ તાળાને ખોલ્યા વિના ચાવી સહિત કોઈ મંદિરમાં મૂકી આવો. આમ કરવાથી કરજથી મુક્તિ મળે છે અને ઘરમાં પૈસાની આવક વધે છે.

કારકિર્દીમાં સફળતા મેળવવા માટે

જો તમારી કારકિર્દીમાં કોઈને કોઈ કારણોસર સમસ્યાઓ આવી રહી હોય અને તમને સારી તક મળતી ન હોય તો ગ્રહણના દિવસે મીઠા ભાત બનાવીને કાગડાને ખવડાવી દો. આમ કરવાથી શનિ, રાહુ અને કેતુની પ્રતિકૂળ અસર સમાપ્ત થશે અને પ્રગતિના રસ્તા ખુલશે.

આ પણ વાંચો:

ગ્રહદોષ દૂર કરવા માટે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ છે તો તેને દૂર કરવા માટે ચંદ્રગ્રહણના દિવસે દૂધ, ચોખા, સફેદ મીઠાઈનું ગરીબ વ્યક્તિને દાન કરો. 

ધનપ્રાપ્તિ માટે

તને પ્રાપ્તિ માટે આ ઉપાય ચંદ્રગ્રહણ હોય ત્યારે કરવો જોઈએ. તેના માટે ચાંદીનો એક ટુકડા પર દૂધ અને ગંગાજળ લગાવી એવી જગ્યાએ રાખી દો જ્યાં ચંદ્રગ્રહણની છાયા તેના ઉપર પડે. બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું અને આ સામગ્રીને લાલ રંગના કપડામાં બાંધીને ઘરમાં પૈસા રાખતા હોય તે જગ્યાએ રાખી દો. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news