પ્રધાનમંત્રીની એક તસવીરે બધાને ચોંકાવ્યાં! દુનિયા જેને સલામ કરે છે એવા PM મોદી આ દિવ્યાંગ મહિલાને કેમ લાગ્યા પગે?

  • પ્રધાનમંત્રીના એક ફોટાથી મચી ખલબલી
  • દિવ્યાંગ મહિલાને પગે લાગવાથી પ્રધાનમંત્રી રોકી
  • પ્રધાનમંત્રી કેમ મહિલાને લાગ્યા પગે
  • સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રીની થઈ પ્રશંસા

Trending Photos

પ્રધાનમંત્રીની એક તસવીરે બધાને ચોંકાવ્યાં! દુનિયા જેને સલામ કરે છે એવા PM મોદી આ દિવ્યાંગ મહિલાને કેમ લાગ્યા પગે?

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી (PM Narendra Modi Varanasi Visit) ની મુલાકાત લીધી હતી. જેમાં પ્રધાનમંત્રીએ એક એવું કામ કર્યું જેનાથી ચારેય તરફ તેમની પ્રશંસા થઈ રહી છે. તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 અને 14 ડિસેમ્બરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી (PM Narendra Modi Varanasi Visit)માં હતા. આ દરમિયાન પીએમ મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોર(Kashi Vishwanath Corridor)નું ઉદ્ઘાટન કર્યું અને ગંગા આરતીમાં પણ ભાગ લીધો. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ પણ એક એવું કામ કર્યું, જેના કારણે તેમની પ્રશંસા થઈ રહી છે અને તેમની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

 

— Vanathi Srinivasan (@VanathiBJP) December 15, 2021

 

પીએમ મોદીએ દિવ્યાંગ મહિલાના ચરણ સ્પર્શ કર્યા:
પીએમ નરેન્દ્ર મોદીની વારાણસીની મુલાકાત દરમિયાન દિવ્યાંગ મહિલા તેમને મળી અને તેમના પગ સ્પર્શ કરવા આગળ આવી હતી. પરંતુ પ્રધાનમંત્રીએ મહિલાને અધવચ્ચે જ રોકી અને પોતે તેમના પગને સ્પર્શ કર્યા. આ દરમિયાન મહિલા ભાવુક થઈ ગઈ અને હાથ જોડીને ઉભી જોવા મળી હતી. આ પછી પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ દિવ્યાંગ મહિલા સાથે વાત કરી.

'સમગ્ર મહિલા શક્તિનું સન્માન'
પીએમ નરેન્દ્ર મોદી(Narendra Modi)નો એક દિવ્યાંગ મહિલાના ચરણ સ્પર્શનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમના જોરદાર વખાણ કરી રહ્યા છે. ફોટો શેર કરતી વખતે ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનાથી શ્રીનિવાસને આને તમામ મહિલા શક્તિ માટે સન્માન ગણાવ્યું. તેમણે ટ્વીટ કરીને કહ્યું, 'આ સન્માન તમામ મહિલા શક્તિ માટે સન્માન છે. આપણે બધાને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ગર્વ છે.

અડધી રાત્રે પણ પ્રધાનમંત્રીએ કરી સમિક્ષા:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સાથે સોમવારે મધ્યરાત્રિ પછી વારાણસીની શેરીઓમાં ઉતર્યા અને કાશી વિશ્વનાથ ધામ અને બનારસ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી. મોડી રાત્રે લગભગ 1 વાગ્યે મુલાકાત લઈ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમણે વારાણસીમાં "મુખ્ય વિકાસ કાર્યો" નું નિરીક્ષણ કર્યું. મધ્યરાત્રે પ્રધાનમંત્રી SPG સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલા ગોદૌલિયા ચોક પાસે વારાણસીના રસ્તાઓ પર ટહેલતા નજરે પડ્યા હતા. તે દરમિયાન તેમના સ્વાગત માટે માર્ગને શણગારવામાં આવ્યો હતો અને લોકોએ 'હર હર મહાદેવ' અને 'મોદી, મોદી' ના નારા લગાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news