2024માં જીતની જોરદાર તૈયારી! દરેક લોકસભા સીટ માટે ભાજપનો મેગા પ્લાન, આ નેતાઓ નહીં લડે ચૂંટણી

BJP Prepration for 2024: ભારતીય જનતા પાર્ટી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે સતત મોટી યોજનાઓ બનાવી રહી છે. આ અંતર્ગત પાર્ટીએ નક્કી કર્યું કે દરેક લોકસભા મતવિસ્તાર માટે એક લોકસભા પ્રભારી અને લોકસભા કન્વીનર બનાવવામાં આવશે.

2024માં જીતની જોરદાર તૈયારી! દરેક લોકસભા સીટ માટે ભાજપનો મેગા પ્લાન, આ નેતાઓ નહીં લડે ચૂંટણી

BJP Prepration for 2024: હિતેન વિઠલાણી/અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો છે કે જે પણ લોકસભા કન્વીનર બનશે તે ચૂંટણી નહીં લડે. જિલ્લા અને રાજ્ય કક્ષાએ જોઇનિંગ ટીમ બનાવવામાં આવશે. આ ઉપરાંત, એવા રાજ્યોમાં ક્લસ્ટર બનાવવામાં આવશે નહીં જ્યાં માત્ર 4 કે 5 લોકસભા બેઠકો છે. દરેક રાજ્યની 3-4 લોકસભા બેઠકોને જોડીને એક ક્લસ્ટર બનાવવામાં આવશે. ભાજપ જેને લોકસભાના કન્વીનર તરીકે નિયુક્ત કરશે તે ચૂંટણી લડશે નહીં. 

ભારતીય જનતા પાર્ટી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે સતત મોટી યોજનાઓ બનાવી રહી છે. આ અંતર્ગત પાર્ટીએ નક્કી કર્યું કે દરેક લોકસભા મતવિસ્તાર માટે એક લોકસભા પ્રભારી અને લોકસભા કન્વીનર બનાવવામાં આવશે. આ સિવાય પાર્ટી બૂથ સ્તર પર છેલ્લી ત્રણ ચૂંટણીઓનું વિશ્લેષણ કરશે અને દરેક રાજ્યમાં 3-4 લોકસભા સીટોને જોડીને એક ક્લસ્ટર બનાવવામાં આવશે. આ ઉપરાંત તેમના માટે અલગથી ક્લસ્ટર ઈન્ચાર્જ પણ બનાવવામાં આવશે.

આ નિર્ણયોમાં સૌથી મોટી વાત એ છે કે જે પણ લોકસભા કન્વીનર બનશે તે ચૂંટણી નહીં લડે. જિલ્લા અને રાજ્ય કક્ષાએ જોઇનિંગ ટીમ બનાવવામાં આવશે. આ ઉપરાંત, એવા રાજ્યોમાં ક્લસ્ટર બનાવવામાં આવશે નહીં જ્યાં માત્ર 4 કે 5 લોકસભા બેઠકો છે. પાર્ટી અધ્યક્ષ, ગૃહમંત્રી, રક્ષા મંત્રી ક્લસ્ટર માઈગ્રેશન અંતર્ગત બેઠક યોજશે. લોકસભામાં તેમની મુલાકાત અને બેઠક માટે વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાશે. વિધાનસભામાં રહેવા માટે રાજ્યના નેતાઓ પર ફરજ લાદવામાં આવશે. લોકસભા ચૂંટણી કાર્યાલય 30 જાન્યુઆરી પહેલા શરૂ થઈ જશે. આ સિવાય સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મને મજબૂત બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. દરેક રાજ્યમાં 50 સ્થળોએ યુવા, મહિલા, એસસી, એસટી સંમેલનનું આયોજન કરવામાં આવશે. 

તમને જણાવી દઈએ કે ભાજપે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે ''''અબકી બાર 400 પાર’ નો નવો નારો આપ્યો છે. એવામાં બીજેપી એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી ને લક્ષ્ય પ્રાપ્ત કરવા રણનીતિ ઘડી પોતાના કાર્યકર્તા અને નેતાઓ ને નિર્દેશ આપ્યા તો તે જ સમયે, ઇન્ડિયા ગઠબંધન પણ નિયમિત બેઠકો યોજી રહ્યું છે. જોકે સીટ શેરિંગ અને પીએમ પદ માટેના ચહેરાને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news