કાશ્મીરમાં એક કલાકમાં બે આતંકી હુમલા, શ્રીનગરમાં નાગરિકની હત્યા, અનંતનાગમાં પોલીસકર્મી શહીદ

Terror Incident In Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં માત્ર એક કલાકની અંદર બે આતંકી હુમલા થયા છે. આ હુમલામાં એક એએસઆઈ શહીદ થયા છે. 

કાશ્મીરમાં એક કલાકમાં બે આતંકી હુમલા, શ્રીનગરમાં નાગરિકની હત્યા, અનંતનાગમાં પોલીસકર્મી શહીદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં એક કલાકની અંદર આતંકીઓની બે અલગ-અલગ જગ્યાએ નાપાક હરકત સામે આવી છે. આતંકીઓની ગોળીબારીમાં એક પોલીસકર્મી શહીદ થઈ ગયા, જ્યારે ઈદગાહની પાસે આતંકીઓએ એક નાગરિકની ગોળી મારી હત્યા કરી છે. અનંતનાગમાં આતંકીઓ સામે અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક એએસઆઈ શહીદ થયા છે. તો શ્રીનગરના મેરઝાનપોરા ઈદગાહની પાસે આતંકીઓએ એક નાગરિકની ગોળી મારી હત્યા કરી દીધી છે. 

જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, પહેલા હુમલાની ઘટના અનંતનાગમાં થઈ. જ્યાં બિજબેહરા પોલીસ સ્ટેશનમાં તૈનાત એએસઆઈ મોહમ્મદ અશરફને આતંકીઓએ અંધાધુંધ ફાયરિંગ કરીને ઈજાગ્રસ્ત કરી દીધો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયામ તેમનું નિધન થયું છે. પોલીસ અને સેનાએ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચઓપરેશન શરૂ કર્યું છે. 

— Kashmir Zone Police (@KashmirPolice) December 22, 2021

તો બીજી ઘટના શ્રીનગરના મેરઝાનપોરામાં સફાકદલ પોલીસ સ્ટેશન વિસ્તાર આવેલ ઈદગાહ પાસે થઈ છે. આતંકીઓએ એક સામાન્ય નાગરિક રાઉફ અહમદને ગોળીઓથી વિંધિ નાખ્યો છે. ઈજાગ્રસ્તને એસએમએચએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે. કાશ્મીર પોલીસે કેસ દાખલ કરી આતંકીની શોધખોળ શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news