ઈકોનોમી મુદ્દે નાણા મંત્રી અને તેમના પતિ 'આમને સામને', કહ્યું-મોદી મોડલ રાવ-મનમોહન કરતા મોટું

નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ના પતિ પરાકલા પ્રભાકરે એક અખબારમાં લખેલા આર્ટિકલમાં જણાવ્યું કે ઈકોનોમી માટે નરસિમ્હા રાવ અને મનમોહન મોડલને ફોલો કરવાની જરૂર છે.

ઈકોનોમી મુદ્દે નાણા મંત્રી અને તેમના પતિ 'આમને સામને', કહ્યું-મોદી મોડલ રાવ-મનમોહન કરતા મોટું

નવી દિલ્હી: નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ના પતિ પરાકલા પ્રભાકરે એક અખબારમાં લખેલા આર્ટિકલમાં જણાવ્યું કે ઈકોનોમી માટે નરસિમ્હા રાવ અને મનમોહન મોડલને ફોલો કરવાની જરૂર છે. જેના પર નાણા મંત્રી નિર્મલા સીતારમણે કાઉન્ટર કરતા કહ્યું કે આપણે એ જોવું જોઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ મોદીના નેતૃત્વમાં ઘણા સારા ફન્ડામેન્ટલ રિફોર્મ થયા છે. GST કે જે કોંગ્રેસના જમાનામાં શક્ય ન થઈ શક્યું તે હવે થયું. ઉજ્વલા યોજના 8 કરોડ મહિલાઓ સુધી પહોંચી. આઈબીસી અને આધારને સાર્વભૌમિક બનાવવામાં આવ્યાં. આ વર્ષે બજેટ બાદ ટેક્સ રિફોર્મ કરવામાં આવ્યાં. એક ઓક્ટોબર બાદ જો તમે બિઝનેસ શરૂ કરો તો તમારે દુનિયામાં સૌથી ઓછો ટેક્સ આપવો પડશે. આ બધુ પબ્લિક ડોમીનમાં છે. તેને બીરદાવવાનું પણ સારું રહેશે. 

અત્રે જણાવવાનું કે નિર્મલા સીરાતમણના પતિની સલાહ એવા સમય આવી છે કે જ્યારે મોદી સરકાર પર અર્થવ્યવસ્થા મામલે તેમના વિરોધીઓ તરફથી સતત આરોપો લગાવવામાં આવતા રહ્યાં છે કે અર્થવ્યવસ્થા લથડી રહી છે અને વિકાસ દર ધીમી ગતિએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામને સાઈડલાઈન કરતા તેમના વિરોધીઓ તેને મંદીની આહટ ગણાવી રહ્યાં છે. મોદી સરકાર એક પછી એક એવા મોટા નિર્ણયો લઈ રહી છે કે જેને એક્સપર્ટ અર્થવ્યવસ્થા માટે ખુબ પોઝિટિવ ગણાવી રહ્યાં છે. 

આવા માહોલમાં નિર્મલાએ પીએમ મોદીને સૌથી મોટા રિફોર્મર ગણતા પતિની સલાહને ફગાવીને એ પણ જણાવી દીધુ કે મોદી મોડલ રાવ અને મનમોહનના ઈકોનોમિક્સ મોડલ કરતા ઘણું મોટું છે. અત્રે જણાવવાનું કે તેમના પતિ એક જાણીતા રાજનીતિક અર્થશાસ્ત્રી છે. પરકલા પ્રભાકરે સરકારને પી વી નરસિમ્હા રાવ-મનમોહન સિંહના ઈકોનોમિક્સ મોડલને અપનાવવાની સલાહ આપી છે. 

જુઓ LIVE TV

એક અંગ્રેજી અખબારમાં લખેલા લેખમાં તેમણે કહ્યું કે હાલની સરકારે નરસિમ્હા રાવ અને મનમોહન સિંહની નીતિઓથી શીખવું જોઈએ. તેમણે આલોચના કરતા એમ પણ કહ્યું હતું કે સત્તાધારી પાર્ટી નહેરુવાદી આર્થિક માળખાની આલોચના કરતી રહી છે પરંતુ તેઓ તેનો વિકલ્પ રજુ  કરી શકી નથી. ભારતીય અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. સરકાર ભલે ઈન્કાર કરે પરંતુ જે આંકડા સામે આવી રહ્યાં છે તેનાથી ખબર પડે છે કે એક એક કરીને અનેક સેક્ટર સંકટના દોરનો સામનો કરી રહ્યાં છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news