JJP નેતા દુષ્યંત ચૌટાલા અમિત શાહને મળ્યા, ભાજપ સરકારમાં મળી શકે છે મોટું પદ

હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ પેદા થયા બાદ દુષ્યંત ચૌટાલાની નવરચિત જનનાયક જનતા પાર્ટી (જેજેપી) કિંગમેકર બનીને ઉભરી છે. જો કે 40 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે. જ્યારે કોંગ્રેસને 31 અને જેજેપીને 10 બેઠકો મળી છે. આ બાજુ અપક્ષો પણ ભાજપને સમર્થન આપવા તૈયાર હોવાનું કહેવાય છે. અન્યને ફાળે 9 બેઠકો ગઈ છે. ચૂંટણીના પરિણામો વચ્ચે સૌથી પહેલા કોંગ્રેસના તરફથી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ અપીલ કરતા કહ્યું કે ભાજપને રોકવા માટે તમામ વિપક્ષી દળોએ કોંગ્રેસ સાથે હાથ મીલાવવો જોઈએ. 
JJP નેતા દુષ્યંત ચૌટાલા અમિત શાહને મળ્યા, ભાજપ સરકારમાં મળી શકે છે મોટું પદ

નવી દિલ્હી: હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ પેદા થયા બાદ દુષ્યંત ચૌટાલાની નવરચિત જનનાયક જનતા પાર્ટી (જેજેપી) કિંગમેકર બનીને ઉભરી છે. જો કે 40 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે. જ્યારે કોંગ્રેસને 31 અને જેજેપીને 10 બેઠકો મળી છે. આ બાજુ અપક્ષો પણ ભાજપને સમર્થન આપવા તૈયાર હોવાનું કહેવાય છે. અન્યને ફાળે 9 બેઠકો ગઈ છે. ચૂંટણીના પરિણામો વચ્ચે સૌથી પહેલા કોંગ્રેસના તરફથી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ અપીલ કરતા કહ્યું કે ભાજપને રોકવા માટે તમામ વિપક્ષી દળોએ કોંગ્રેસ સાથે હાથ મીલાવવો જોઈએ. 

હરિયાણાના રાજકારણમાં સતત બદલાતા સમીકરણ અને કશ્મકશ વચ્ચે સૂત્રોના જણાવ્યાં મુજબ જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા મોડી રાતે ભાજપના અધ્યક્ષ અમિત શાહને મળ્યાં. એવી અટકળો થઈ રહી છે કે ભાજપ સરકારમાં દુષ્યંત ચૌટાલાને મહત્વનું પદ મળી શકે છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે સિરસાથી અપક્ષ ઉમેદવાર ગોપાલ કાંડા સહિત 5 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપને સમર્થન આપી શકે છે. 

જુઓ LIVE TV

આ બધા વચ્ચે દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે અમારા 10 ધારાસભ્યોની દિલ્હીમાં શુક્રવારે બેઠક છે. ત્યારબાદ રાષ્ટ્રીય કાર્યકારિણીની એક બેઠક છે અને તે પછી નિર્ણય લેવાશે કે અમે ભેગા થઈને કે પછી વિપક્ષમાં બેસીને પ્રદેશની લડાઈ લડવાનું કામ કરીશું. અનેક લોકો રાહ જોઈ રહ્યાં છે કે અમારો શું નિર્ણય હશે? પહેલા તો એ 9 સાથીઓને અભિનંદન પાઠવું છું જેમણે ખુબ મહેનત કરી. હરિયાણાની જનતાએ લાખોની સંખ્યામાં મત આપ્યાં અને અમને સાથ આપ્યો. એક એક હરિયાણવીનો આભાર માનીશ. આજે આપણા પ્રદેશમાં આ અજુબો કરીને બતાવ્યો છે. જે લોકો 75 પારની વાતો કરતા હતાં. પ્રદેશની જનતાએ તેમને યાદ કરાવી દીધુ કે તેમના 9માંથી 8 મંત્રીઓ હારી ગયા. જેનો સ્પષ્ટ અર્થ એ છે કે હરિયાણાની જનતા બદલાવ ઈચ્છે છે. તમારા બધાની સલાહ લઈને જ આગળ નિર્ણય લેવાશે. મારી તમને બધાને અપીલ છે કે ધૈર્ય રાખો. હરિયાણાના વિકાસના પથ પર ચાલે... હરિયાણાના યુવાઓને રોજગારી મળે... હરિયાણાના વૃદ્ધોને તેમનું સન્માન પાછું મળે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news